બારડોલીમાં આગસી માતા સ્વપ્ન મંદિરના સુવર્ણ મહોત્સવ નિમિત્તે ઈ.એન.ટી. સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલનું ભવ્ય લોકાર્પણ


બારડોલી સ્થિત આગસી માતા સ્વપ્ન મંદિરના સુવર્ણ મહોત્સવની ઉજવણી નિમિત્તે માનવસેવાના મહાયજ્ઞરૂપે ધનુબા બાલુદાસ ઈ.એન.ટી. (કાન-નાક-ગળા) સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. આ પવિત્ર અવસરે સામાજિક ન્યાય અધિકારી તથા રાજ્ય શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વજાની પ્રેરણાદાયક ઉપસ્થિતિમાં લોકસેવાનો આ નવો અધ્યાય શરૂ થયો.

આ સુવર્ણ મહોત્સવનું આયોજન અષ્ટધામ આગસી માતા ન્યાય મંદિર ટ્રસ્ટ, બારડોલી દ્વારા કરવામાં આવ્યું હતું. મંદિરના ૫૦ વર્ષના સેવાયાત્રાને યાદગાર બનાવવા સાથે સમાજના દરેક વર્ગને ગુણવત્તાયુક્ત આરોગ્યસેવાઓ ઉપલબ્ધ થાય તે હેતુથી આ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. ટ્રસ્ટ દ્વારા છેલ્લા અનેક વર્ષોથી આરોગ્ય, સેવા અને આધ્યાત્મિક સાધનાના ક્ષેત્રે સતત કામગીરી કરવામાં આવી રહી છે.

લોકાર્પણ પ્રસંગે રાજ્ય શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વજાએ જણાવ્યું હતું કે, આગસી માતા ચેરિટેબલ ટ્રસ્ટ માનવસેવા અને ઉત્તમ આરોગ્યની પ્રાર્થનાથી સતત કાર્યરત છે, જે સમાજ માટે પ્રેરણારૂપ છે. તેમણે ઉમેર્યું કે ગુજરાત સરકાર પણ રાજ્યના દરેક નાગરિકના આરોગ્ય માટે પ્રતિબદ્ધ છે અને આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે.

ડૉ. વજાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આયુષ્માન ભારત યોજનાના માધ્યમથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પાંચ લાખ રૂપિયા સુધીની નિઃશુલ્ક સારવારની સુવિધા આપવામાં આવી છે. ગુજરાતના નાગરિકોની સંવેદનશીલ જરૂરિયાતોને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે તેમાં વધુ પાંચ લાખ રૂપિયાનો ઉમેરો કર્યો છે. પરિણામે હવે આયુષ્માન કાર્ડ ધરાવતા નાગરિકોને કુલ દસ લાખ રૂપિયા સુધીની મફત આરોગ્યસેવા ઉપલબ્ધ બની છે.

તેમણે સ્પષ્ટ કર્યું કે સરકારનો ઉદ્દેશ એકદમ સ્પષ્ટ છે—કોઈ પણ ગરીબ નાગરિક આર્થિક અછતને કારણે સારવારથી વંચિત ન રહે. નવી શરૂ થયેલી ઈ.એન.ટી. સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ બારડોલી અને આસપાસના વિસ્તારો માટે આરોગ્યક્ષેત્રે મહત્વપૂર્ણ ભેટ સાબિત થશે અને માનવસેવાની ભાવનાને વધુ મજબૂત બનાવશે.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *