FACT of India Times News



બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત
નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ નજીક સર્જાયો ગોઝારો અકસ્માત
અકસ્માત બાદ બસમાં આગ ભભૂકી ઉઠતાં મુસાફરો અંદર જ ફસાયા: ૧૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત
બારડોલી, ૨ જૂન:
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવા ગામ નજીક નેશનલ હાઈવે-૫૩ પર આજે એક અત્યંત હૃદયદ્રાવક અને ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો છે. મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમ (MSRTC)ની બે એસ.ટી. બસો વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં પ્રાથમિક માહિતી અનુસાર ૫ મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે ૧૦થી વધુ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર બાદ એક બસ હાઈવે પર જ પલટી ખાઈ ગઈ હતી અને જોતજોતામાં તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
ટેન્કરને બચાવવાના ચક્કરમાં સર્જાયો અકસ્માત
મળતી વિગતો મુજબ, હાઈવે પર અગાઉથી પલટી ગયેલા એક ટેન્કરને બચાવવાના પ્રયાસમાં એક બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બસ ડિવાઈડર કૂદીને સામેની લેનમાં આવી ગઈ હતી અને સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની જ બીજી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. સામસામે થયેલી આ ટક્કર બાદ એક બસ રોડ પર પલટી મારી ગઈ હતી. બસ સીએનજી (CNG) હોવાના કારણે અકસ્માત થતાં જ તેમાં બ્લાસ્ટ સાથે ભયાનક આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં આખી બસ આગનો ગોળો બની ગઈ હતી.
બચાવ કામગીરી અને તંત્ર દોડતું થયું
અકસ્માતને પગલે હાઈવે પર મસમોટો ટ્રાફિક જામ સર્જાયો હતો અને આસપાસના સ્થાનિક લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ બારડોલી ફાયર બ્રિગેડની ટીમ અને સુરત તેમજ તાપી જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
ફાયર ફાયટરોએ ભારે જહેમત બાદ બસમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, બસમાં આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે અંદર બેઠેલા કેટલાક મુસાફરોને બહાર નીકળવાની તક જ મળી નહોતી. પોલીસે સ્થાનિક લોકોની મદદથી બસમાં ફસાયેલા મુસાફરો અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક બહાર કાઢી બારડોલીની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા છે. મૃતકોના શવને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
#surat #bardoli #bus #BusAccident #RoadAccident #Maharashtra #FactOfIndiaTimes #GujaratNews*


  • Related Posts

    તાપી જિલ્લામાં વડાપ્રધાનશ્રીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન –


    તાપી નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડે વિવિધ કાર્યક્રમો અંગે પ્રાથમિક બેઠક યોજી નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના ઉપલક્ષમાં આયોજિત રાજ્યવ્યાપી ઉજવણીને અનુલક્ષીને તાપી જિલ્લામાં આગામી તા. ૫…


    Tapi News


    તાપી જિલ્લા સેવા સદનના શૈક્ષણિક પ્રવાસે શાંતિ નિકેતન લાઇબ્રેરીના ૧૦૦ વિદ્યાર્થીઓ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, નિવાસી અધિક કલેક્ટર આર.આર. બોરડે વિદ્યાર્થીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધી આપ્યું માર્ગદર્શન જિલ્લા વહીવટી…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *