બાંટવામાં કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ ૮.૪૩ કરોડના ૧૩૯ વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું


કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી Mansukh Mandaviyaએ આજે Bantwaમાં બાંટવા નગરપાલિકા કચેરીના નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે તેમણે કેશોદ અને માણાવદર વિધાનસભા ક્ષેત્રમાં જનસુવિધા અને જનસુખાકારીને ધ્યાનમાં રાખીને અંદાજે રૂ. ૮.૪૩ કરોડના કુલ ૧૩૯ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સતત વિકાસલક્ષી કામગીરીના કારણે લોકોની સુખાકારી અને સુવિધામાં નોંધપાત્ર વધારો થયો છે. ગામડાઓને જોડતા પાક્કા રસ્તા, પીવાનું પાણી, વીજળી જેવી સુવિધાઓ હવે સરળતાથી ઉપલબ્ધ થઈ રહી છે. સાથે જ નોન-પ્લાન રસ્તાઓ સહિતના વિકાસ કામો માટે લોકોની અપેક્ષાઓ પણ વધી રહી છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે Narendra Modiએ જ્ઞાતિ-જાતિના રાજકારણથી ઉપર ઉઠીને વિકાસની રાજનીતિ શરૂ કરી છે. તેમના દ્રઢ સંકલ્પના પરિણામે સૌરાષ્ટ્રના ૧૦૩ ડેમોમાં નર્મદાનું પાણી પહોંચાડવાનું અશક્ય લાગતું કાર્ય શક્ય બન્યું છે, જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતાં ખેતી વધુ સમૃદ્ધ બની રહી છે.

અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને થયેલા નુકસાનનો ઉલ્લેખ કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે તે મુશ્કેલ સમયમાં Bhupendra Patelના નેતૃત્વમાં રાજ્ય સરકારે ખેડૂતોને રૂ. ૧૦ હજાર કરોડનું સહાય પેકેજ આપ્યું હતું તેમજ ખેડૂતોની ઉપજને ટેકાના ભાવે ખરીદવાની કામગીરી પણ કરી હતી.

તેમણે ઉમેર્યું હતું કે રોડ-રસ્તા અને બિલ્ડિંગ જેવી ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સુવિધાઓ ઉપરાંત સમાજમાં શાંતિ અને સલામતી પણ એટલી જ જરૂરી છે. ગુજરાત સરકારે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરીને રાજ્યમાં શાંતિપૂર્ણ વાતાવરણ પૂરું પાડ્યું છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે તેઓ એક નેતા તરીકે નહીં પરંતુ સેવક અને જનપ્રતિનિધિ તરીકે લોકોની સેવા કરવા પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું કે લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે તેઓ નિયમિતપણે સમય ફાળવે છે.

આ પ્રસંગે બાંટવા નગરપાલિકા માટે સાંસદ ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ અને મોક્ષવાહિની પણ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન બાંટવાના વિવિધ સમાજોના આગેવાનો, સંસ્થાઓ અને વેપારી સંગઠનો દ્વારા મંત્રીશ્રીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હરેશભાઈ ઠુંમર, માણાવદર નગરપાલિકા પ્રમુખ જીતુભાઈ પનારા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા સહિત અનેક પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *