ઘેડ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું


કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી Mansukh Mandaviyaએ આજે Junagadh districtના પ્રવાસ દરમિયાન ઘેડ પંથકના વિવિધ ગામોની મુલાકાત લઈ વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે ચાલી રહેલી કામગીરીનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું.

મંત્રીશ્રીએ ફુલરામા, બગસરા ઘેડ અને ઘોડાદર ગામોની મુલાકાત બાદ મેખડી ગામ ખાતે સાબલી નદી પર ફેઝ-૧ અંતર્ગત નદી ઊંડી ઉતારવાની તેમજ અન્ય કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે ફુલરામા ગામ નજીક ચાલી રહેલી કામગીરીનું પણ તેમણે અવલોકન કર્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રીએ ઘેડ પંથકમાં વર્ષોથી ચાલી આવતી વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે કામગીરી ગુણવત્તાપૂર્વક, સુવ્યવસ્થિત રીતે અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા. તેમણે સંલગ્ન વિભાગોના અધિકારીઓને સતત કામગીરી પર નજર રાખવા તેમજ સ્થળ નિરીક્ષણ કરીને વિકાસ કાર્યોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ખાસ સૂચનાઓ આપી હતી.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વિકાસ કાર્યો લોકોની આશાઓ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે તે જરૂરી છે. આ માટે તેમણે સ્થાનિક ગ્રામજનો અને આગેવાનો સાથે સંવાદ કરી તેમના પ્રતિભાવો પણ મેળવ્યા હતા. મંત્રીશ્રીએ ગ્રામજનોને પરસ્પર સહકારથી વિકાસ કાર્યો ઝડપથી આગળ વધે તે માટે પ્રેરણા પણ આપી હતી.

આ દરમિયાન સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર પાર્થ કોઠીયાએ ઘેડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે નદીઓને ઊંડી અને પહોળી બનાવવા, નદી કાંઠા મજબૂત કરવા તથા અન્ય જરૂરી કામગીરી અંગે મંત્રીશ્રીને વિગતવાર માહિતી આપી હતી.

ઉલ્લેખનીય છે કે Bhupendra Patelના નેતૃત્વમાં રાજ્ય સરકાર ઘેડ વિસ્તારના વર્ષો જૂના વરસાદી પાણી ભરાવાના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા માટે કટિબદ્ધ છે. ફેઝ-૧ અને ફેઝ-૨ અંતર્ગત સોરઠ અને બરડા ઘેડ વિસ્તારમાં વિકાસ કાર્યો માટે કુલ રૂ. 1534.19 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રીશ્રીના આ પ્રવાસ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય દેવાભાઈ માલમ, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


  • Related Posts

    આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડેની ભવ્ય ઉજવણી: સેવા, સમર્પણ અને માનવતાનું જીવંત પ્રતિક છે નર્સિંગ વ્યવસાય


    GMERS Medical College ખાતે ‘આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડે’ની ભવ્ય ઉજવણી રાજ્યના આરોગ્ય મંત્રી Praful Pansheriya ની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ કાર્યક્રમમાં નર્સિંગ વ્યવસાયની મહત્તા, સેવા ભાવના અને માનવતાના મૂલ્યોને ઉજાગર…


    જૂનાગઢ રોજગાર વિનિમય કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન: 46 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી


    Junagadh જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા યુવાનોને રોજગારની વધુ તકો ઉપલબ્ધ થાય અને નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુઓ વચ્ચે સેતુરૂપ બની શકાય તે હેતુથી ઔદ્યોગિક ભરતીમેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *