ઓલપાડમાં પ્રાકૃતિક કૃષિ જનજાગૃતિ શિબિર યોજાઈ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને આપ્યો સંદેશ


Acharya Devvratના અધ્યક્ષસ્થાને Olpad ખાતે પ્રાકૃતિક કૃષિ જનજાગૃતિ શિબિર યોજાઈ હતી. આ શિબિર ધરતી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ-ઉચ્છલ અને ઓલપાડ-ચોર્યાસી તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ લિ.ના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવી હતી. કાર્યક્રમ ઓલપાડ સ્થિત શ્રી પ્રમોદભાઈ કનૈયાલાલ દેસાઈ કેળવણી મંડળના પુરુષોત્તમ ફાર્મર્સ સાંસ્કૃતિક ભવન ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી માત્ર ખેતી પદ્ધતિ નહીં પરંતુ આવનારી પેઢીને શુદ્ધ હવા, સ્વચ્છ પાણી અને ફળદ્રુપ જમીન વારસામાં આપવાનો સેવાયજ્ઞ છે. તેમણે કહ્યું કે આજના આધુનિક સમયમાં કેન્સર, ડાયાબિટીસ અને કિડની ફેલ થવા જેવી ગંભીર બીમારીઓ વધતી જાય છે અને તેનું એક મુખ્ય કારણ આપણા આહાર અને રાસાયણિક ખેતી છે.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય વર્ષોથી રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિરેક ઉપયોગને કારણે જમીનની ઉપજ ક્ષમતા ઘટી રહી છે અને માનવ સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર થઈ રહી છે. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રેરિત કરતા જણાવ્યું કે જંગલોમાં કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર કે દવા વગર વૃક્ષો સ્વાભાવિક રીતે વિકસે છે અને લીલાછમ રહે છે. આ જ પ્રાકૃતિક સિદ્ધાંત હવે ખેતરોમાં અમલમાં મૂકવાની જરૂર છે.

રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીનની ઉર્વરતા જળવાઈ રહે છે, ઉત્પાદન ખર્ચ ઘટે છે અને ખેડૂતોને વધુ નફો પણ મળે છે. સાથે જ આ પદ્ધતિથી ઉત્પન્ન થતી ખેતી ઉત્પાદનો માનવ સ્વાસ્થ્ય માટે પણ વધુ લાભદાયી છે.

આ શિબિર દરમિયાન પ્રાકૃતિક ખેતીના લાભો, પદ્ધતિઓ અને તેના સફળ પ્રયોગો અંગે પણ વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવીને સ્વસ્થ સમાજ અને સ્વસ્થ પર્યાવરણના નિર્માણમાં સહભાગી બનવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં કૃષિ ક્ષેત્રના નિષ્ણાતો, સ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *