નળસરોવર પક્ષી અભયારણ્યમાં પક્ષી વસ્તી ગણતરી અભ્યાસ-2026 પૂર્ણ, 6.42 લાખથી વધુ પક્ષીઓની નોંધ


અમદાવાદ નજીક આવેલ વિશ્વ પ્રસિદ્ધ રામસર સાઈટ નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે પક્ષી વસ્તી ગણતરી અભ્યાસ-2026નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વન વિભાગ દ્વારા આયોજિત આ દ્વિ-વાર્ષિક અભ્યાસ પ્રવાસી પક્ષીઓના સંરક્ષણ અને વૈજ્ઞાનિક નિરીક્ષણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.આ વર્ષે યોજાયેલા સર્વે દરમિયાન અંદાજે 6,42,232 જેટલા પક્ષીઓની હાજરી નોંધાઈ છે, જે આશરે 270 જેટલી વિવિધ પ્રજાતિઓનું પ્રતિનિધિત્વ કરે છે. આ આંકડા નળસરોવર પક્ષી અભયારણ્યની વૈશ્વિક મહત્વતાને વધુ મજબૂત બનાવે છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં વિદેશી પ્રવાસી પક્ષીઓ અહીં મોટી સંખ્યામાં આવે છે, જે પર્યાવરણ અને જૈવ વૈવિધ્યતાનું અનોખું દ્રશ્ય સર્જે છે.આ પક્ષી વસ્તી ગણતરી અભ્યાસમાં કુલ 220 પક્ષીવિદો, પ્રકૃતિપ્રેમીઓ અને વન વિભાગના અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સર્વે દરમિયાન વિવિધ ઝોનમાં ટીમો બનાવીને દુરબીન અને વૈજ્ઞાનિક પદ્ધતિઓના આધારે પક્ષીઓની ગણતરી કરવામાં આવી. આ અભ્યાસનો મુખ્ય હેતુ પક્ષીઓની સંખ્યામાં થતા ફેરફારો, તેમની વસવાટની સ્થિતિ અને સંરક્ષણની જરૂરિયાતો અંગે માહિતી એકત્રિત કરવાનો છે.નળસરોવર રામસર સાઈટ તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત ધરાવે છે. અહીં ફ્લેમિંગો, પેલિકન, સ્ટોર્ક, હેરોન સહિત અનેક દુર્લભ અને સ્થળાંતરી પક્ષીઓ જોવા મળે છે. આ અભયારણ્ય પ્રવાસન માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે, જ્યાં દર વર્ષે હજારો પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકો મુલાકાત લે છે.વન વિભાગ દ્વારા કરવામાં આવતો આ અભ્યાસ ભારતની પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, પક્ષીઓના જતન અને સંરક્ષણ માટે જરૂરી પગલાં લેવામાં આવશે જેથી નળસરોવરનું પર્યાવરણીય સંતુલન જળવાઈ રહે.નળસરોવર પક્ષી અભયારણ્યમાં યોજાયેલ પક્ષી વસ્તી ગણતરી અભ્યાસ-2026 પર્યાવરણ જાગૃતિ અને જૈવ વૈવિધ્યતા સંરક્ષણ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *