મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘આત્મનિર્ભર ભારત – વોકલ ફોર લોકલ’ થીમ સાથે વર્ષ 2026નો રાજ્ય સરકારનો કેલેન્ડર લોકાર્પણ કર્યો


માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારનો વર્ષ 2026નો અધિકૃત કેલેન્ડર વિધિવત રીતે લોકાર્પણ કર્યો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ ‘આત્મનિર્ભર ભારત – આપણું ગૌરવ, વોકલ ફોર લોકલ’ થીમ પર આધારીત આ કેલેન્ડર જોઈને વિશેષ આનંદ વ્યક્ત કર્યો હતો અને ગુજરાતની ઉદ્યોગિક તથા સાંસ્કૃતિક સમૃદ્ધિને રજૂ કરતી આ પહેલને સરાહનીય ગણાવી હતી.

વર્ષ 2026નો રાજ્ય સરકારનો કેલેન્ડર ગુજરાતની વિશિષ્ટ ઓળખ, ઉદ્યોગિક શક્તિ અને લોકકલાના વૈવિધ્યને એકસાથે રજૂ કરે છે. કેલેન્ડરમાં રાજ્યના અગ્રણી ઉદ્યોગ ક્ષેત્રો જેમ કે ઓટોમોબાઈલ સેક્ટર, કેમિકલ ઈન્ડસ્ટ્રી, ફાર્મા સેક્ટર, સિરામિક ઉદ્યોગ, સેમિકન્ડક્ટર ઉદ્યોગ, ડાયમંડ ઉદ્યોગ સહિત ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતાનું સશક્ત પ્રતિબિંબ જોવા મળે છે. આ ઉદ્યોગો ગુજરાતને ભારતના વિકાસ એન્જિન તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

આ ઉપરાંત કેલેન્ડરમાં ગુજરાતની સમૃદ્ધ કલા અને હસ્તકલા પરંપરાનું સુંદર પ્રસ્તુતીકરણ કરવામાં આવ્યું છે. પાટણની પ્રખ્યાત પટોળા સાડી, કચ્છની હસ્તકલા, પિથોરા પેઇન્ટિંગ, બંધણી કલા, રોગણ પેઇન્ટિંગ તેમજ અકિક કારીગરી જેવી લોકકલા અને પરંપરાગત કૌશલ્યને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આ તમામ કલાઓ ‘વોકલ ફોર લોકલ’ના સંદેશને મજબૂત બનાવે છે અને સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપે છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, આ કેલેન્ડર માત્ર તારીખો દર્શાવતું સાધન નથી, પરંતુ ગુજરાતની ઓળખ, આત્મનિર્ભરતા અને વિકાસયાત્રાનું પ્રતિબિંબ છે. તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યું છે.

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ પણ કેલેન્ડરની પ્રશંસા કરતા કહ્યું કે, આ કેલેન્ડર ગુજરાતના ઉદ્યોગ, સંસ્કૃતિ અને સ્વદેશી ઉત્પાદનો માટે ગૌરવની લાગણી ઊભી કરે છે. વર્ષ 2026નો આ કેલેન્ડર રાજ્યના સર્વાંગી વિકાસ અને લોકલથી ગ્લોબલ તરફની યાત્રાનું પ્રતીક બની રહેશે.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *