સુરત શહેર-જિલ્લામાં LPG ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, અફવાઓથી દૂર રહેવા તંત્રની અપીલ


Surat શહેર અને જિલ્લામાં એલપીઝી ગેસની પૂરતી ઉપલબ્ધતા છે અને પુરવઠામાં કોઈપણ પ્રકારની અછત કે વિક્ષેપ નથી. નાગરિકોએ અફવાઓથી દૂર રહી ગભરાટ ન ફેલાવવા જિલ્લા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

મધ્ય પૂર્વ દેશોમાં ઊભી થયેલી વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ઘરેલુ એલપીઝી ગેસ સિલિન્ડરની પૂરતી અને નિયમિત સપ્લાય જળવાઈ રહે તે માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. ગેસ પુરવઠા વ્યવસ્થા સુચારૂ રહે તે માટે રાજ્ય સરકાર તેમજ સંબંધિત વિભાગો દ્વારા ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે સંકલન કરીને જરૂરી આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ સંદર્ભમાં જિલ્લા પુરવઠા અધિકારી Darshan Shah અને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ Rajdeepsinh Nakumએ આજે સંયુક્ત રીતે GIDC સ્થિત Indian Oil Corporationના ગેસ ગોડાઉન ખાતે પહોંચી LPG ગેસના જથ્થાની સ્થળ પર તપાસ કરી હતી. આ દરમિયાન ગેસ સિલિન્ડરની ઉપલબ્ધતા, સ્ટોક અને પુરવઠાની સ્થિતિ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

જિલ્લા પુરવઠા અધિકારી દર્શન શાહે જણાવ્યું હતું કે સુરત શહેર અને જિલ્લામાં એલપીઝી ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠામાં કોઈપણ પ્રકારની અછત નથી. તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓથી પ્રભાવિત ન થાય અને ગેસ સિલિન્ડરની અનાવશ્યક ખરીદી કે સંગ્રહ ન કરે.

આ ઉપરાંત પોલીસે પણ કડક ચેતવણી આપી છે કે ગેસ સિલિન્ડરની અનધિકૃત રીતે જથ્થાબંધ સંગ્રહ કરવો કે નક્કી કરેલી કિંમત કરતાં વધુ કિંમતે વેચાણ કરવું કાયદેસર ગુનો ગણાશે. આવા કિસ્સાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

આ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી રેસ્ટોરન્ટ્સ અને વ્યાપારી એકમોમાં પણ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા સતત મોનીટરીંગ કરીને ગેસ પુરવઠા વ્યવસ્થા સુચારૂ રાખવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.

જિલ્લા તંત્રએ નાગરિકોને શાંતિ જાળવી રાખવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તંત્રને જાણ કરવા અપીલ કરી છે.


  • Related Posts

    આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડેની ભવ્ય ઉજવણી: સેવા, સમર્પણ અને માનવતાનું જીવંત પ્રતિક છે નર્સિંગ વ્યવસાય


    GMERS Medical College ખાતે ‘આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડે’ની ભવ્ય ઉજવણી રાજ્યના આરોગ્ય મંત્રી Praful Pansheriya ની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ કાર્યક્રમમાં નર્સિંગ વ્યવસાયની મહત્તા, સેવા ભાવના અને માનવતાના મૂલ્યોને ઉજાગર…


    જૂનાગઢ રોજગાર વિનિમય કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન: 46 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી


    Junagadh જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા યુવાનોને રોજગારની વધુ તકો ઉપલબ્ધ થાય અને નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુઓ વચ્ચે સેતુરૂપ બની શકાય તે હેતુથી ઔદ્યોગિક ભરતીમેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *