જૂનાગઢના ‘આયુષ મેળા-2024’માં ‘પ્રકૃતિ પરીક્ષણ’ સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર: તાસીર જાણો, આરોગ્યમય જીવન અપનાવો


“આયુર્વેદ માત્ર રોગોની સારવાર નથી, પરંતુ જીવન જીવવાની વિજ્ઞાન છે” – આ વિચારને સાકાર કરતો ‘આયુષ મેળા-2024’ જૂનાગઢમાં યોજાયો હતો, જેમાં ‘પ્રકૃતિ પરીક્ષણ’ (Nature Test) સ્ટોલ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. અહીં નિષ્ણાત આયુર્વેદિક ડૉક્ટરો દ્વારા મુલાકાતીઓની દેહ પ્રકૃતિ એટલે કે વાત, પિત્ત અને કફના સંતુલનનું પરીક્ષણ કરીને વ્યક્તિગત આરોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આયુર્વેદ મુજબ માનવ શરીરને મુખ્યત્વે ત્રણ દોષોમાં વહેંચવામાં આવ્યું છે – વાત, પિત્ત અને કફ. સામાન્ય ભાષામાં તેને શરીરની ‘તાસીર’ કહેવામાં આવે છે. આયુર્વેદિક કોલેજમાં એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા એમ.ડી. (આયુ) ડૉ. રૂપેશ વધેરે જણાવ્યું હતું કે વ્યક્તિની પ્રકૃતિ માતાના ગર્ભાવસ્થામાં જ નક્કી થઈ જાય છે. જો વ્યક્તિ પોતાની પ્રકૃતિ ઓળખે અને તે મુજબ આહાર-વિહાર અપનાવે, તો ઘણા રોગોથી બચી શકાય છે.

મેળામાં મુલાકાતીઓને સમજાવવામાં આવ્યું કે પ્રકૃતિ વિરુદ્ધ આહાર લેવાથી એલર્જી, અપચો, ગેસ, એસિડિટી, ખાટા ડકાર, વજનમાં વધારો અથવા આળસ જેવી તકલીફો ઊભી થઈ શકે છે. ઉદાહરણ તરીકે, કફ પ્રકૃતિ ધરાવતા લોકોએ ભારે અને ચીકણો આહાર ટાળવો જોઈએ. ઋષિમુનિઓએ પ્રકૃતિ આધારિત આહાર નિયમો આપ્યા છે, જેનું પાલન કરવાથી ગંભીર રોગોથી બચી શકાય છે.

ડૉ. વધેરે વધુમાં જણાવ્યું કે આયુર્વેદનો વૈજ્ઞાનિક આધાર આધુનિક વિજ્ઞાન સાથે જોડાયેલો છે. શરીર પંચમહાભૂતોથી બનેલું છે અને કોષો (Cells)માં રહેલી જનૈતિક માહિતી જ વ્યક્તિની તાસીર નક્કી કરે છે. આ મૂળભૂત જાણકારીના આધારે ઋષિમુનિઓએ આરોગ્ય નિયમો ઘડ્યા છે.

આયુષ મેળા દ્વારા આયુર્વેદના આ વૈજ્ઞાનિક પાસાને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ થયો હતો, જેથી યુવા પેઢી આયુર્વેદનું સાચું મહત્વ સમજી શકે. આયોજકોએ જૂનાગઢના નાગરિકોને પ્રકૃતિ પરીક્ષણ કરાવી પોતાના સ્વભાવ મુજબ જીવનશૈલી અપનાવવા અપીલ કરી હતી. આયુર્વેદ કહે છે કે જે વ્યક્તિ પોતાની પ્રકૃતિ અને ઋતુ મુજબ દૈનિક વ્યવહાર ગોઠવે છે, તે ભાગ્યે જ બીમાર પડે છે.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *