ગાંધીનગરમાં લોકકલાનો મહાકુંભ: સંસ્કૃતિ કુંજ ખાતે ‘વસંતોત્સવ’નો રંગારંગ પ્રારંભ


ગાંધીનગરના સંસ્કૃતિ કુંજ ખાતે ‘વસંતોત્સવ’નો ભવ્ય અને રંગારંગ પ્રારંભ થયો છે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની ‘કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી’ તથા West Zone Cultural Centreના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવ લોકકલા અને હસ્તકલાનો અનોખો સંગમ બની રહ્યો છે.

મહોત્સવનો વિધિવત પ્રારંભ ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી Ritaben Patelના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે આવા આયોજનો સ્થાનિક કલાકારોને મંચ આપે છે અને આપણી સમૃદ્ધ લોકકલાની પરંપરા જીવંત રાખવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે. આ તકે યુવા અને રમતગમત વિભાગ દ્વારા તૈયાર કરાયેલ કેલેન્ડરનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

વસંતોત્સવના પ્રથમ દિવસે જ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આકર્ષણ જામ્યું હતું. ‘ભલા મોરી રામા’ ફેમ લોકગાયક Arvind Vegdaએ પોતાના સુરીલા અવાજ અને ઊર્જાસભર પ્રસ્તુતિથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ગણેશ વંદના સાથે શરૂ થયેલા કાર્યક્રમમાં ગુજરાતના ગરબા અને ડાકલા ઉપરાંત રાઠવા આદિવાસી નૃત્ય, પશ્ચિમ બંગાળનું પુરુલિયા છાઉ, આસામનું બિહુ, મણિપુરનું થાંગ-ટા અને પુંગઢોલ છોલો, મહારાષ્ટ્રનું લાવણી, ગુજરાતના આદિવાસી સમાજનું સિદ્દિધમાલ નૃત્ય, રાજસ્થાનની ભવાઇ અને હરિયાણાનું ફાગ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.

આ મહોત્સવમાં અંદાજે 500થી વધુ કલાકારો પોતાની કલાની પ્રસ્તુતિ આપશે. સાથે જ સ્થાનિક કારીગરો દ્વારા નિર્મિત હસ્તકલાની વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ પણ આયોજનનું મુખ્ય આકર્ષણ છે. સરિતા ઉદ્યાન પાસે આવેલા સંસ્કૃતિ કુંજ ખાતે આ મહોત્સવ આગામી 2 માર્ચ સુધી ચાલશે.

‘વસંતોત્સવ’ દ્વારા ગુજરાતની અસ્મિતા, ભારતીય સંસ્કૃતિની વિવિધતા અને એકતાનો સુંદર સંદેશ પ્રસરાવવામાં આવી રહ્યો છે, જે કલાકારોને પ્રોત્સાહન આપતા સાથે સંસ્કૃતિપ્રેમીઓને અનોખો અનુભવ પ્રદાન કરે છે.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *