સોમનાથ અમૃતપર્વને લઈને પ્રેસ કોન્ફરન્સ : વડાપ્રધાનશ્રીના કાર્યક્રમોની આપવામાં આવી માહિતી


‘સોમનાથ અમૃતપર્વ-2026’ અંતર્ગત વડાપ્રધાન Narendra Modi ના ગુજરાત પ્રવાસ અને વિવિધ કાર્યક્રમોને લઈને Somnath Sagar Darshan ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત સરકારના કૃષિ અને પ્રવક્તા મંત્રી Jitu Vaghani એ પત્રકારોને વડાપ્રધાનશ્રીના કાર્યક્રમોની વિસ્તૃત માહિતી આપી હતી.

મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, “સોમનાથ અમૃતપર્વમાં વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિ આપણા સૌ માટે ગર્વ અને આનંદની વાત છે.” તેમણે વધુમાં કહ્યું કે, ભારતની આઝાદી બાદ બંગાળમાં પ્રાપ્ત થયેલી જીત દેશ માટે બીજી આઝાદી સમાન છે અને દેશ આજે નવી ઊર્જા અને આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યો છે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવાયું હતું કે સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિવિધ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિશાળ એક્ઝિબિશન, ભવ્ય રોડ શો, ભારતીય વાયુસેનાની પ્રખ્યાત ‘સૂર્યકિરણ એર શો’, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા જેવા આકર્ષણો સામેલ છે. સમગ્ર સોમનાથ નગરીને ભવ્ય રીતે શણગારવામાં આવી રહી છે અને લાખો શ્રદ્ધાળુઓ તથા પ્રવાસીઓના આગમનની સંભાવનાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.

આ પ્રસંગે Pradyuman Vaja, Arjun Modhwadia, Rajesh Chudasama અને Aniruddh Dave સહિતના આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સોમનાથ અમૃતપર્વ માત્ર ધાર્મિક મહોત્સવ નથી, પરંતુ ભારતની સાંસ્કૃતિક વિરાસત, આધ્યાત્મિક શક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે. સમગ્ર કાર્યક્રમને ઐતિહાસિક અને યાદગાર બનાવવા માટે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વ્યાપક આયોજન હાથ ધરાયું છે.

આ ભવ્ય કાર્યક્રમોથી સોમનાથ દેશ-વિદેશના ભક્તો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *