ઘેડ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું


કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી Mansukh Mandaviyaએ આજે Junagadh districtના પ્રવાસ દરમિયાન ઘેડ પંથકના વિવિધ ગામોની મુલાકાત લઈ વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે ચાલી રહેલી કામગીરીનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું.

મંત્રીશ્રીએ ફુલરામા, બગસરા ઘેડ અને ઘોડાદર ગામોની મુલાકાત બાદ મેખડી ગામ ખાતે સાબલી નદી પર ફેઝ-૧ અંતર્ગત નદી ઊંડી ઉતારવાની તેમજ અન્ય કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે ફુલરામા ગામ નજીક ચાલી રહેલી કામગીરીનું પણ તેમણે અવલોકન કર્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રીએ ઘેડ પંથકમાં વર્ષોથી ચાલી આવતી વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે કામગીરી ગુણવત્તાપૂર્વક, સુવ્યવસ્થિત રીતે અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા. તેમણે સંલગ્ન વિભાગોના અધિકારીઓને સતત કામગીરી પર નજર રાખવા તેમજ સ્થળ નિરીક્ષણ કરીને વિકાસ કાર્યોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ખાસ સૂચનાઓ આપી હતી.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વિકાસ કાર્યો લોકોની આશાઓ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે તે જરૂરી છે. આ માટે તેમણે સ્થાનિક ગ્રામજનો અને આગેવાનો સાથે સંવાદ કરી તેમના પ્રતિભાવો પણ મેળવ્યા હતા. મંત્રીશ્રીએ ગ્રામજનોને પરસ્પર સહકારથી વિકાસ કાર્યો ઝડપથી આગળ વધે તે માટે પ્રેરણા પણ આપી હતી.

આ દરમિયાન સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર પાર્થ કોઠીયાએ ઘેડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે નદીઓને ઊંડી અને પહોળી બનાવવા, નદી કાંઠા મજબૂત કરવા તથા અન્ય જરૂરી કામગીરી અંગે મંત્રીશ્રીને વિગતવાર માહિતી આપી હતી.

ઉલ્લેખનીય છે કે Bhupendra Patelના નેતૃત્વમાં રાજ્ય સરકાર ઘેડ વિસ્તારના વર્ષો જૂના વરસાદી પાણી ભરાવાના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા માટે કટિબદ્ધ છે. ફેઝ-૧ અને ફેઝ-૨ અંતર્ગત સોરઠ અને બરડા ઘેડ વિસ્તારમાં વિકાસ કાર્યો માટે કુલ રૂ. 1534.19 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રીશ્રીના આ પ્રવાસ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય દેવાભાઈ માલમ, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *