
રાજ્ય સરકાર દ્વારા પ્રશાસનિક પારદર્શિતા અને ઝડપી જાહેર સેવા પ્રદાન કરવા માટે શરૂ કરાયેલ “સેવા સેતુ” કાર્યક્રમ સમાજના વિવિધ વર્ગો માટે ખૂબ લાભદાયી બની રહ્યો છે. સુરત મહાનગરપાલિકાના નવા ઇસ્ટ (સરથાણા) ઝોન ખાતે યોજાયેલા 109મા સેવા સેતુ કાર્યક્રમમાં 25 નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ સ્થળ પર જ આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં સુરતના મેયર દક્ષેશભાઈ માવાણીની પ્રેરણાદાયક ઉપસ્થિતિ રહી હતી. રાજ્ય સરકારના જનકલ્યાણના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને આયોજિત આ કાર્યક્રમમાં નાગરિકોને સરકારી સેવાઓ સરળ અને ઝડપી રીતે ઉપલબ્ધ કરાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.
સેવા સેતુ કાર્યક્રમ દ્વારા અત્યાર સુધી કુલ ત્રણ તબક્કામાં 2,04,12થી વધુ લાભાર્થીઓને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો છે. આ કાર્યક્રમ રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસનની પારદર્શક કાર્યપદ્ધતિનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે.
સરથાણા ઝોન ખાતે યોજાયેલા આ સેવા સેતુ કાર્યક્રમમાં નાગરિકોને આવક દાખલો, જાતિ દાખલો, રેશનકાર્ડ સંબંધિત કામગીરી, આધાર કાર્ડ અપડેટ તેમજ આરોગ્યલક્ષી યોજનાઓ સહિત અનેક સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ઉપરાંત વિધવા સહાય યોજના, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, વ્યવસાય કર અને મિલ્કત કર સંબંધિત સેવાઓ પણ નાગરિકોને આપવામાં આવી હતી.
આ કાર્યક્રમની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ રહી કે અહીં નાગરિકોની અરજીઓ સ્થળ પર જ સ્વીકારીને તેની તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. જેના કારણે લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવાની જરૂર રહી નહોતી અને સમયસર સેવાઓ મળી શકી હતી.
સેવા સેતુ કાર્યક્રમના કારણે સામાન્ય નાગરિકોને એક જ સ્થળે અનેક સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થવા લાગી છે. રાજ્ય સરકારના આ પ્રયાસને કારણે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
પ્રશાસન દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસોથી નાગરિકો અને સરકાર વચ્ચેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. સેવા સેતુ જેવા કાર્યક્રમો સમાજના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે અને લોકો સુધી સરકારની યોજનાઓનો લાભ વધુ અસરકારક રીતે પહોંચાડવામાં મદદરૂપ બની રહ્યા છે.





