‘નમો લક્ષ્મી યોજના’થી કન્યા શિક્ષણને નવી દિશા: સુરતની વી.થા. ચોકસી ગર્લ્સ વિદ્યાલય બન્યું સફળ અમલનું શ્રેષ્ઠ ઉદાહરણ


રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી ‘નમો લક્ષ્મી યોજના’ કન્યાઓના શિક્ષણ અને સશક્તિકરણ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહી છે. આ યોજનાનો મુખ્ય હેતુ આર્થિક અછતના કારણે કોઈપણ દીકરી અભ્યાસથી વંચિત ન રહે તે છે. સુરત શહેરની વી.થા. ચોકસી ગર્લ્સ વિદ્યાલયમાં આ યોજનાનો સફળ અમલ થઈ રહ્યો છે, જે સમગ્ર રાજ્ય માટે પ્રેરણારૂપ ઉદાહરણ બની છે.

સુરતની આ કન્યા વિદ્યાલયમાં ધોરણ 4થી 12 સુધી અભ્યાસ કરતી 100 ટકા વિદ્યાર્થીનીઓ ‘નમો લક્ષ્મી યોજના’ હેઠળ આવરી લેવામાં આવી છે. શાળાની માહિતી મુજબ ધોરણ 9થી 12ની કુલ 10 દીકરીઓને દર વર્ષે રૂ.10 હજારની સ્કોલરશીપ મળી રહી છે. આર્થિક સહાય મળતા દીકરીઓમાં અભ્યાસ પ્રત્યે ઉત્સાહ વધ્યો છે અને પરિવાર પરનો નાણાકીય ભાર પણ ઓછો થયો છે.

શાળાની આચાર્યા ત્રુપ્તિબેન પટેલએ જણાવ્યું હતું કે, યોજનાના પરિણામે ધોરણ 9થી 12માં વિદ્યાર્થિનીઓની નોંધણીમાં નોંધપાત્ર વધારો થયો છે. અગાઉ ધોરણ 6 અથવા 10 પછી અભ્યાસ છોડનાર ત્રણ દીકરીઓ ફરીથી શાળામાં પ્રવેશ લઈને અધૂરા અભ્યાસને પૂર્ણ કરી રહી છે, જે યોજનાની અસરકારકતા દર્શાવે છે.

આ યોજનાનો લાભ માત્ર સામાન્ય પરિવારોને જ નહીં પરંતુ જ્વેલ આર્ટિસ્ટ્સ સહિત વિવિધ વ્યવસાયિક પૃષ્ઠભૂમિવાળા પરિવારોની દીકરીઓને પણ મળ્યો છે. ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક સહાય મળતા દીકરીઓ માટે શિક્ષણના નવા માર્ગો ખુલ્યા છે અને ભવિષ્યમાં તેઓ આર્થિક, સામાજિક અને વ્યાવસાયિક ક્ષેત્રે આત્મનિર્ભર બની શકે તેવા અવસર ઊભા થયા છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં ‘ગર્લ્સ કેલવાણી મહોત્સવ’ની શરૂઆત કરી હતી, જેના કારણે કન્યા શિક્ષણનો દર નોંધપાત્ર રીતે વધ્યો. ત્યારબાદ વર્ષ 2024ના શૈક્ષણિક સત્રથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શિક્ષણ વિભાગ દ્વારા ‘નમો લક્ષ્મી યોજના’ અમલમાં મૂકાઈ છે.

આજે સુરતની કન્યા વિદ્યાલયમાં યોજનાનો સફળ અમલ એ વાતનો જીવંત પુરાવો છે કે કન્યાઓના શિક્ષણ દ્વારા સશક્તિકરણનું લક્ષ્ય સાકાર થઈ રહ્યું છે.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *