રૂફટોપ સોલારમાં ગુજરાતે રચ્યો ઈતિહાસ: 5 લાખ ઇન્સ્ટોલેશન સાથે દેશભરમાં પ્રથમ, VGRC રાજકોટમાં બનશે પ્રેરણાસ્રોત


રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી રૂફટોપ સોલાર યોજના સામાન્ય નાગરિકો માટે ઊર્જા ઉત્પાદનને સસ્તું, સુલભ અને પર્યાવરણમૈત્રી બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ છે. આ યોજનાના અમલથી રાજ્યના રહેણાંક ઉપભોક્તાઓને કુલ ₹3,778 કરોડની સબસિડીનો લાભ મળ્યો છે. સબસિડીના કારણે મધ્યમ અને નાની આવક ધરાવતા પરિવારો માટે રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવી સરળ બની છે, જેના પરિણામે વીજળીના બિલમાં ઘટાડો થયો છે અને ઊર્જા સ્વાવલંબન તરફ મોટું પગલું ભરાયું છે.

ગુજરાતની આ સફળ રૂફટોપ સોલાર યાત્રા માત્ર ઊર્જા ક્ષેત્ર સુધી સીમિત નથી, પરંતુ તે રાજ્યની ટકાઉ વિકાસ નીતિ, નવીનીકરણીય ઊર્જા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને નાગરિકોની સક્રિય ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ બની છે. સૂર્ય ઊર્જાના વ્યાપક ઉપયોગથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થયો છે અને હરિત ઊર્જા તરફ પરિવર્તનને વેગ મળ્યો છે.

આ પ્રેરણાદાયક સફળતાની કહાની Vibrant Gujarat Regional Conference (VGRC) અંતર્ગત કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટે યોજાનાર પરિસંવાદમાં રજૂ કરવામાં આવશે. જાન્યુઆરી, 2026માં રાજકોટ ખાતે યોજાનાર VGRCમાં ગુજરાતની રૂફટોપ સોલાર સિદ્ધિઓને વિશેષ રૂપે રજૂ કરીને અન્ય રાજ્યો, ઉદ્યોગકારો અને નીતિનિર્માતાઓ માટે માર્ગદર્શક મોડેલ તરીકે રજૂ કરવામાં આવશે.

VGRC રાજકોટ મંચ પરથી ગુજરાતની રૂફટોપ સોલાર સફળતા નવીનીકરણીય ઊર્જામાં રોકાણ, ટેકનોલોજી વિકાસ અને નાગરિકોને જોડતી નીતિઓ અંગે નવી દિશા આપશે. ગુજરાતે રચેલી આ સિદ્ધિ આગામી સમયમાં દેશને ઊર્જા સ્વાવલંબન અને ટકાઉ વિકાસ તરફ દોરી જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *