ડીસા ખાતે સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫નો પ્રારંભ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં


ડીસા ખાતે સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયા અને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ મહોત્સવ વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ આયોજિત કરવામાં આવ્યો છે અને તેનું મુખ્ય હેતુ રાજ્યના યુવાનોને રમતગમત ક્ષેત્રમાં પ્રોત્સાહિત કરવું અને તેમની પ્રતિભાનું સર્જનાત્મક વિકાસ કરાવવાનું છે.

કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયા વિક્તવ્યમાં જણાવ્યું કે, “સાંસદ ખેલ મહોત્સવ થકી યુવાનોને રમતગમતમાં નવી દિશા મળશે અને તેઓ પોતાના કૌશલ્યોને વધુ મજબૂત બનાવી દેશનું નામ રોશન કરશે.” તેમણે ઉમેર્યું કે આવા કાર્યક્રમો દ્વારા નાની ઉંમરમાં જ ખેલાડીઓને યોગ્ય માર્ગદર્શન, તાલીમ અને સ્પર્ધાત્મક માહોલ મળશે.

વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે બનાસકાંઠાના સ્થાનિક યુવાનો આવનાર સમયમાં દેશનું નામ રોશન કરશે. તેમણે આશા વ્યક્ત કરી કે મેદાનમાં ઉતરતા તમામ ખેલાડીઓ મહોત્સવના આનંદ સાથે જ પ્રતિભા અને રમતગમતની કળામાં નિપુણતા બતાવશે.

રાજ્ય સરકાર દ્વારા ખેલાડીઓ માટે ઘરઆંગણે તાલીમ, ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગુણવત્તાસભર સાધનસામગ્રી અને અનુભવી કોચિંગની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે આ તમામ પ્રયાસો યુવાનોને સ્પર્ધાત્મક મંચ માટે તૈયાર કરવા અને તેમની સફળતા માટે માર્ગદર્શક બનશે.

આ પ્રસંગે વિવિધ જિલ્લાના પ્રતિનિધિઓ, કોચો, વિદ્યાર્થી ખેલાડીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ખેલ મહોત્સવમાં બાળકો, યુવકો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કાર્યક્રમ દરમિયાન ખેલાડીઓને વિવિધ રમતગમતની સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પ્રેરણા આપી, તેમજ શિસ્ત અને સાહસ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.

સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫ દ્વારા ડીસા અને બનાસકાંઠા જિલ્લાના યુવાનોમાં રમતગમતની પ્રત્યે રસ વધારવામાં મદદ મળી રહી છે. આ કાર્યક્રમ માત્ર રમતગમત માટે નહીં, પરંતુ યુવાનોમાં આત્મવિશ્વાસ, ટીમવર્ક અને શિસ્ત વિકસાવવા માટે પણ મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.


  • Related Posts

    કચ્છ મુલાકાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી: ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને ગણાવી મનુષ્ય અને પ્રકૃતિ માટે આશીર્વાદ


    Acharya Devvrat કચ્છ જિલ્લાના પ્રવાસે પહોંચ્યા દરમિયાન પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતા અનેક કાર્યક્રમોમાં જોડાયા હતા. રાજ્યપાલશ્રીએ ભુજ તાલુકાના કોડકી અને નારાણપર (પસાયતી) ગામની મુલાકાત લઈને પ્રગતિશીલ ખેડૂતોના પ્રાકૃતિક ફાર્મનું નિરીક્ષણ…


    સોમનાથમાં ઇતિહાસ રચાશે: ૧૧ તીર્થોના જળથી મંદિરના શિખર પર પહેલીવાર કુંભાભિષેક


    પ્રથમ જ્યોતિર્લિંગ Somnath Temple ખાતે આયોજિત “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬” અંતર્ગત એક ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રસંગ સાકાર થવા જઈ રહ્યો છે. ૧૧મી મેના રોજ સોમનાથ મંદિરના શિખર પર પહેલીવાર ૧૧ પવિત્ર તીર્થોના…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *