
સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી પર આવેલા Somnath Temple ના 75 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય ‘અમૃત મહોત્સવ’ની ઉજવણી દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. વડાપ્રધાન Narendra Modi ની ગૌરવસભર હાજરીમાં યોજાયેલા આ ઐતિહાસિક કાર્યક્રમમાં ભક્તિ, સાંસ્કૃતિક વારસા અને આધુનિક વિકાસનો અનોખો સમન્વય જોવા મળ્યો. છેલ્લા બે દાયકામાં વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ મંદિર વિકાસની નવી ઊંચાઈઓએ પહોંચ્યું છે, જેને હવે “સોમનાથનો ગોલ્ડન એજ” તરીકે ઓળખવામાં આવે છે.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તો અને પ્રવાસીઓ માટે અનેક આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. 16 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમા ભક્તોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે. સમુદ્ર કિનારે વિકસાવવામાં આવેલ ‘સી દર્શન પાથ’ પ્રવાસીઓને આધ્યાત્મિકતા સાથે કુદરતી સૌંદર્યનો અનોખો અનુભવ કરાવે છે. ‘મારુતિ હાટ’, ‘સોમગંગા ગંગાજળ પ્રસાદ કેન્દ્ર’ તેમજ આધુનિક લાઇટ એન્ડ સાઉન્ડ શો દ્વારા સોમનાથના ઈતિહાસ અને સાંસ્કૃતિક ગૌરવને જીવંત બનાવવાનો પ્રયાસ થયો છે.
પર્યટન અને કનેક્ટિવિટી ક્ષેત્રે પણ સોમનાથને વૈશ્વિક ઓળખ અપાવવા માટે વિશાળ વિકાસકાર્યો હાથ ધરાયા છે. ચાર માર્ગીય હાઈવે, Vande Bharat Express ટ્રેન સેવા તેમજ Keshod Airport અને Rajkot International Airport જેવી સુવિધાઓએ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે સોમનાથ સુધી પહોંચવાનું વધુ સરળ બનાવ્યું છે. પરિણામે સોમનાથ હવે માત્ર તીર્થસ્થળ નહીં પરંતુ વૈશ્વિક ધાર્મિક પર્યટનનું કેન્દ્ર બની રહ્યું છે.
પર્યાવરણ સંરક્ષણ તરફ પણ મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. મિયાવાકી ફોરેસ્ટ, વોટર પ્યુરિફિકેશન પ્લાન્ટ અને નેટ-ઝીરો ટેમ્પલ જેવી પહેલો દ્વારા સોમનાથને ગ્રીન અને સસ્ટેનેબલ તીર્થક્ષેત્ર તરીકે વિકસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
સોમનાથના 75 વર્ષનું આ અમૃત મહોત્સવ માત્ર ઉજવણી નથી, પરંતુ ભારતની આસ્થા, સંસ્કૃતિ અને આધુનિક વિકાસના સંગમનું પ્રતિક બની રહ્યું છે.





