મહેસાણા કલેકટર કચેરીમાં જિલ્લા ઇનચાર્જ સચિવ ધનંજય દ્વિવેદીની અધ્યક્ષતામાં સર્વાંગી સમીક્ષા બેઠક યોજાઈ


મહેસાણા જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે જિલ્લા ઇનચાર્જ સચિવ શ્રી ધનંજય દ્વિવેદીની અધ્યક્ષતામાં જિલ્લા સ્તરની સર્વાંગી સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના સર્વાંગી વિકાસ, વહીવટી કાર્યક્ષમતા અને જનહિતકારી યોજનાઓના અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

બેઠક દરમિયાન ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્નો, પબ્લિક સર્વિસ સેન્ટર (PSC) મારફતે મળતી અરજીઓની સમયસર નિકાલ પ્રક્રિયા, સ્વચ્છતા અભિયાન, ચાલુ તથા પ્રસ્તાવિત વિકાસ યોજનાઓ અને જિલ્લાના વિઝન ડોક્યુમેન્ટ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા ઇનચાર્જ સચિવે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક નાગરિક સુધી સરળતાથી અને પારદર્શી રીતે પહોંચે તે માટે અધિકારીઓએ સંવેદનશીલતા અને જવાબદારી સાથે કાર્ય કરવું જરૂરી છે.

શ્રી દ્વિવેદીએ પબ્લિક સર્વિસ સેન્ટર હેઠળની અરજીઓ અંગે ખાસ ભાર મૂકતા જણાવ્યું હતું કે, નાગરિકોને વારંવાર કચેરીના ચક્કર ન લગાવવા પડે તે માટે અરજીઓનો નિકાલ નિર્ધારિત સમયમર્યાદામાં કરવામાં આવે. સાથે જ, અરજદારોને સ્પષ્ટ માહિતી અને માર્ગદર્શન મળે તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.

સ્વચ્છતા મુદ્દે ચર્ચા કરતાં તેમણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા માટે સતત મોનીટરીંગ, જનજાગૃતિ અને સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની સક્રિય ભૂમિકા પર ભાર મૂક્યો હતો. વિકાસ પ્રોજેક્ટ્સ અંગે સમીક્ષા કરતી વખતે તેમણે ચાલુ કામોમાં ગુણવત્તા અને સમયપાલન પર ખાસ ધ્યાન આપવા જણાવ્યું હતું, જેથી વિકાસ કાર્યનો વાસ્તવિક લાભ જનતા સુધી પહોંચે.

જિલ્લાના વિઝન ડોક્યુમેન્ટ અંગે ચર્ચા કરતાં જિલ્લા ઇનચાર્જ સચિવે કહ્યું હતું કે, આવનારા વર્ષોમાં મહેસાણા જિલ્લાને વિકાસ, રોજગાર, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે અગ્રેસર બનાવવાના હેતુથી સ્પષ્ટ આયોજન જરૂરી છે. દરેક વિભાગે પોતાના લક્ષ્યાંકો નક્કી કરી સંકલન સાથે કાર્ય કરવું જોઈએ.

અંતમાં, બેઠકમાં હાજર અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે, રાજ્ય સરકારની સેવાઓ સરળ, ઝડપી અને લોકાભિમુખ રીતે લોકો સુધી પહોંચે તે માટે નવીન અભિગમ અપનાવી કાર્ય કરવું. આ સમીક્ષા બેઠક જિલ્લા વહીવટને વધુ કાર્યક્ષમ અને જનકેન્દ્રિત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ હતી.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *