નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સાણંદ–બાવળામાં ઉદ્યોગિક વિકાસની સમીક્ષા કરી, INOX Wind અને Solar પ્લાન્ટનું લોકાર્પણ


ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ અમદાવાદ જિલ્લાના સાણંદ અને બાવળા પંથકની મુલાકાત લઈ રાજ્યની ઝડપી ઉદ્યોગિક પ્રગતિની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે ઉદ્યોગ સાહસિકો સાથે સંવાદ સાધી ટેકનોલોજી ક્ષેત્રે ગુજરાતની વધતી જતી મજબૂત પકડ અને ભાવિ ઉદ્યોગિક આયોજન અંગે વિગતવાર ચર્ચા કરી હતી. નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે નવીન ટેકનોલોજી અને ઉદ્યોગમૈત્રી નીતિઓના કારણે ગુજરાત આજે દેશના અગ્રણી ઉદ્યોગિક રાજ્યોમાં સ્થાન ધરાવે છે.

આ મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રીશ્રીએ બાવળા તાલુકાના ભાયલા ગામ નજીક સ્થિત ક્રિસ્ટલ લોજિસ્ટિક્સ પાર્કમાં INOX Windના WTG (વિન્ડ ટર્બાઇન જનરેટર) મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અને INOX Solarના PV મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. આ બંને પ્લાન્ટ નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે ગુજરાતની આગવી ભૂમિકા વધુ મજબૂત કરશે.

શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત સરકાર પર્યાવરણમૈત્રી અને સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયત્નશીલ છે. પવન ઊર્જા અને સોલાર ઊર્જા ક્ષેત્રે આવા આધુનિક ઉત્પાદન એકમો રાજ્યને આત્મનિર્ભર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. સાથે જ, આ પ્લાન્ટો “મેક ઇન ગુજરાત” અને “મેક ઇન ઇન્ડિયા” અભિયાનને પણ બળ આપશે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે નવા ઉદ્યોગોના આગમનથી માત્ર સીધી નોકરીઓ જ નહીં, પરંતુ આસપાસના નાના-મોટા અનેક વ્યવસાયો પણ ધમધમતા થશે. ટ્રાન્સપોર્ટ, લોજિસ્ટિક્સ, સર્વિસ, ખોરાક અને રહેઠાણ જેવા ક્ષેત્રોમાં રોજગારીની નવી તકો સર્જાશે, જેનાથી સ્થાનિક અર્થતંત્રને નવી ગતિ મળશે.

તેમણે ઉમેર્યું કે સાણંદ–બાવળા પંથક ઉદ્યોગિક હબ તરીકે ઝડપથી વિકસી રહ્યો છે. આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સુલભ જમીન વ્યવસ્થા, વીજળી અને માર્ગ જોડાણને કારણે દેશ-વિદેશના રોકાણકારો અહીં રોકાણ કરવા ઉત્સાહિત છે. રાજ્ય સરકાર ઉદ્યોગોને અનુકૂળ વાતાવરણ પૂરુ પાડવા પ્રતિબદ્ધ છે.

આ પ્રસંગે ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ, સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા હતા. સૌએ ગુજરાતની વિકાસમુખી નીતિઓને બિરદાવતાં જણાવ્યું કે આવા ઉદ્યોગિક રોકાણો રાજ્યના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે.


  • Related Posts

    કચ્છ મુલાકાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી: ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને ગણાવી મનુષ્ય અને પ્રકૃતિ માટે આશીર્વાદ


    Acharya Devvrat કચ્છ જિલ્લાના પ્રવાસે પહોંચ્યા દરમિયાન પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતા અનેક કાર્યક્રમોમાં જોડાયા હતા. રાજ્યપાલશ્રીએ ભુજ તાલુકાના કોડકી અને નારાણપર (પસાયતી) ગામની મુલાકાત લઈને પ્રગતિશીલ ખેડૂતોના પ્રાકૃતિક ફાર્મનું નિરીક્ષણ…


    સોમનાથમાં ઇતિહાસ રચાશે: ૧૧ તીર્થોના જળથી મંદિરના શિખર પર પહેલીવાર કુંભાભિષેક


    પ્રથમ જ્યોતિર્લિંગ Somnath Temple ખાતે આયોજિત “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬” અંતર્ગત એક ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રસંગ સાકાર થવા જઈ રહ્યો છે. ૧૧મી મેના રોજ સોમનાથ મંદિરના શિખર પર પહેલીવાર ૧૧ પવિત્ર તીર્થોના…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *