કમોસમી વરસાદને પગલે તાપી જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતાં આદિજાતિ વિકાસ કેબીનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને રમતગમત, યુવક સેવાના રાજ્ય મંત્રીશ્રી ડો. જયરામભાઈ ગામીત


મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને મંત્રીશ્રી ડો. જયરામભાઈ ગામીતે ટોકરવા ગામે નુકસાનગ્રસ્ત પાકની સ્થિતિનું નિરીક્ષણ કરી ખેડૂતો સાથે સંવાદ સાધ્યો

આજરોજ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ટોકરવા ગામે આદિજાતિ વિકાસ કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ, રાજ્યકક્ષા મંત્રીશ્રી ડો.જયરામભાઈ ગામીત, રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, પૂર્વ પ્રમુખ શ્રી સૂરજભાઈ વસાવા સહિત પદાધિકારીઓએ કમોસમી વરસાદથી ડાંગરના પાકના ક્ષતિગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મંત્રીઓએ મહિલા ખેડૂતના ખેતરની મુલાકાત લઈ પાકમાં થયેલ નુકશાન અંગેની વિગત મેળવી હતી અને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોની સાથે છે અને હંમેશા મદદરૂપ થવા કટીબધ્ધ છે.

મુલાકાત દરમિયાન મહાનુભાવોએ ટોકરવા ચૌક ખાતે ભગવાન બિરસામુંડાની પ્રતિમાને ફૂલમાળા અર્પણ કરી હતી.આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલીયા,પ્રાંત અધિકારી સંદીપ ગાયકવાડ,સહિત તાલુકા અને જિલ્લા સ્તરના અધિકારીઓને,ટોકરવા ગામના સભ્યશ્રીઓ,આગેવાનો,ગ્રામજનો મોટી સખ્યાંમાં ઉપસ્થિત રહ્યા હતા.


  • SANGEETA

    Am a retired principal, social worker, Journalist, state award winner 2015,RTI Activist, Director of karma Education Charitable trust, Editor and owner of Fact of India Times and India Scroll newspaper

    Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *