
ગુજરાતના રાજ્યપાલ Acharya Devvrat એ પ્રધાનમંત્રી Narendra Modi દ્વારા આપવામાં આવેલા ‘Economic Self Defense’ અને ‘Nation First’ના સંદેશને જીવનમાં ઉતારી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજ્યપાલશ્રીએ સાદગી, સ્વઅનુશાસન અને રાષ્ટ્રીય જવાબદારીનો એવો સંદેશ આપ્યો છે, જે સામાન્ય નાગરિકોથી લઈને શાસનતંત્ર સુધી સૌ માટે પ્રેરણારૂપ બન્યો છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના દૈનિક જીવનમાં પણ દેશહિતને પ્રથમ સ્થાન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. રાજ્યપાલ તરીકે મળતી Z Plus સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં તેમણે કાફલામાં ઓછામાં ઓછી ગાડીઓ રાખવા સૂચના આપી છે, જેથી ઇંધણની બચત થાય અને અનાવશ્યક ખર્ચમાં ઘટાડો થાય. એટલું જ નહીં, તેઓ સામાન્ય બસ અને ટ્રેનમાં મુસાફરી કરીને પણ સાદગીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
તેમણે રાજ્યની યુનિવર્સિટીઓ અને વહીવટી તંત્રને પણ ઇંધણ બચાવવા માટે ઇલેક્ટ્રિક વાહનો અને સાયકલના વધુ ઉપયોગ માટે પ્રોત્સાહિત કર્યા છે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, દેશની આર્થિક મજબૂતી માત્ર સરકારની નીતિઓથી નહીં પરંતુ દરેક નાગરિકની જીવનશૈલી અને જવાબદારીથી પણ નિર્ભર છે. જો દરેક વ્યક્તિ પોતાના વ્યક્તિગત આરામ અને વૈભવ કરતાં ‘રાષ્ટ્રપ્રથમ’ના કર્તવ્યને મહત્વ આપે, તો ભારત આર્થિક રીતે વધુ આત્મનિર્ભર બની શકે છે.
રાજ્યપાલશ્રીએ ભાવુક અપીલ કરતાં કહ્યું કે ઇંધણની બચત, સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ અને મિતવ્યયી જીવનશૈલી અપનાવવી એ આજના સમયમાં રાષ્ટ્રસેવા સમાન છે. તેમના આ વિચારોને રાજ્યભરમાં વ્યાપક સમર્થન મળી રહ્યું છે અને યુવાનોમાં પણ દેશપ્રેમ તથા જવાબદારીની નવી લાગણી પ્રેરાઈ રહી છે.
આચાર્ય દેવવ્રતજીનો આ સંદેશ માત્ર શાસન સુધી મર્યાદિત નથી, પરંતુ સમાજના દરેક વર્ગ માટે પ્રેરણાદાયી બની રહ્યો છે. સાદગી, સ્વઅનુશાસન અને ‘Nation First’ના મૂલ્યો દ્વારા તેઓ દેશના આર્થિક સ્વરક્ષણ અને આત્મનિર્ભર ભારતના સપનાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસમાં આગળ વધી રહ્યા છે.





