સુરત જિલ્લામાં ધો.12નું શાનદાર પરિણામ: વિજ્ઞાનમાં 87.26% અને સામાન્ય પ્રવાહમાં 93.46%, રાજ્યમાં ટોચના ગ્રેડમાં આગવું સ્થાન


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, ગુજકેટ તથા સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સુરત જિલ્લાએ ફરી એકવાર ઉત્તમ પ્રદર્શન કરીને રાજ્યમાં આગવું સ્થાન મેળવ્યું છે. સુરત જિલ્લામાં ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 87.26 ટકા નોંધાયું છે, જે રાજ્યના સરેરાશ 84.33 ટકા કરતા ઊંચું છે. જ્યારે સામાન્ય પ્રવાહમાં સુરતનું પરિણામ 93.46 ટકા રહ્યું છે.

વિજ્ઞાન પ્રવાહમાં સુરત જિલ્લાના વિદ્યાર્થીઓએ એ-1, એ-2, બી-1, બી-2 અને સી-1 ગ્રેડમાં સમગ્ર રાજ્યમાં સૌથી વધુ પરિણામ મેળવીને ડંકો વગાડ્યો છે. જિલ્લામાં કુલ 15,817 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 15,798 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 459 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ અને 2,460 વિદ્યાર્થીઓએ એ-2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ આંકડા રાજ્યના કુલ પરિણામમાં મહત્વપૂર્ણ ફાળો આપે છે.

વધુમાં, સુરત જિલ્લાના વરાછા કેન્દ્રએ 94.34 ટકા પરિણામ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે, જે જિલ્લાની શૈક્ષણિક ગુણવત્તાને દર્શાવે છે. બી-1 ગ્રેડમાં 3,061 વિદ્યાર્થીઓ, બી-2માં 3,061 વિદ્યાર્થીઓ અને સી-1 ગ્રેડમાં 2,714 વિદ્યાર્થીઓ સફળ થયા છે, જ્યારે 1,894 વિદ્યાર્થીઓએ સી-2 ગ્રેડ મેળવ્યો છે.

સામાન્ય પ્રવાહમાં પણ સુરત જિલ્લાના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. રાજ્યમાં સૌથી વધુ એ-1, એ-2, બી-1 અને બી-2 ગ્રેડ સુરતના વિદ્યાર્થીઓએ મેળવ્યા છે. જિલ્લામાં 2,083 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ અને 6,910 વિદ્યાર્થીઓએ એ-2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જે નોંધપાત્ર સિદ્ધિ છે.

ખાસ નોંધનીય બાબત એ છે કે સામાન્ય પ્રવાહમાં નાનપુરા (બ્લાઈન્ડ) કેન્દ્રનું પરિણામ 100 ટકા આવ્યું છે, જે સમાવેશી શિક્ષણ અને વિદ્યાર્થીઓની મહેનતનું ઉત્તમ ઉદાહરણ છે.

આ પરિણામોથી સુરત જિલ્લો રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે મજબૂત સ્થાન ધરાવે છે તે ફરી સાબિત થયું છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાની સંયુક્ત મહેનતના પરિણામે આ સફળતા પ્રાપ્ત થઈ છે, જે ભવિષ્ય માટે પ્રેરણારૂપ બની રહેશે.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *