
હિંમતનગર નજીક જવાનગઢ પાટીયા વિસ્તારમાં આજે ભયાનક માર્ગ અકસ્માત સર્જાતા 6 લોકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત ત્યારે બન્યો જ્યારે એક ખાનગી બસ અને કાર વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી, જેના કારણે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ કારમાં સવાર લોકો કોઈ કામસર મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે અચાનક સામેમાંથી આવતી ખાનગી બસે કારને ટક્કર મારી દીધી. અથડામણ એટલી ભયાનક હતી કે ઘટનાસ્થળે જ 6 લોકોના મોત થયા હતા, જ્યારે કારમાં ફસાયેલા અન્ય ઘાયલોને ભારે મહેનત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા.
અકસમાતની જાણ થતા જ સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસ તથા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરાઈ હતી અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તેમાંના કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ તંત્ર પણ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક અનુમાન મુજબ ઝડપી ગતિ અને બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ અકસ્માતનું મુખ્ય કારણ હોઈ શકે છે, જોકે સત્તાવાર કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. મૃતકોના પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો છે. સ્થાનિક લોકો દ્વારા માર્ગ સુરક્ષા અંગે વધુ કડક પગલાં લેવા માટે માંગ ઉઠી રહી છે, જેથી આવી દુર્ઘટનાઓને રોકી શકાય.
સરકાર અને પ્રશાસન દ્વારા પણ ઘટનાને ગંભીરતાથી લઈ જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. આ દુઃખદ બનાવે ફરી એકવાર માર્ગ સલામતી પ્રત્યે જાગૃતિ વધારવાની જરૂરિયાત ઉભી કરી છે.




