ઉમરેઠ પેટા ચૂંટણી ૨૦૨૬: જનરલ ઓબ્ઝર્વર માતા દિન મીણાની ફરીયાદ નિવારણ કેન્દ્રની મુલાકાત, ૧૯૫૦ હેલ્પલાઇન પર ૬૯ પૂછપરછ


૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬ને લઈને ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને સુચારુ રીતે આગળ વધે તે માટે ચૂંટણી તંત્ર સક્રિય બની ગયું છે. આ સંદર્ભમાં આણંદ ખાતે જિલ્લા કક્ષાના ફરીયાદ નિવારણ કેન્દ્રની મુલાકાત જનરલ ઓબ્ઝર્વર શ્રી માતા દિન મીણાએ લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે કેન્દ્રની કામગીરી, વ્યવસ્થા અને મતદારોને આપવામાં આવતી સેવાઓ અંગે વિગતવાર સમીક્ષા કરી હતી.

જનરલ ઓબ્ઝર્વરે અધિકારીઓ સાથે ચર્ચા કરીને જણાવ્યું કે મતદારોની સમસ્યાઓનો ઝડપી અને અસરકારક નિકાલ થાય તે અત્યંત આવશ્યક છે. તેમણે ખાસ કરીને ૧૯૫૦ હેલ્પલાઇન અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા મળતી ફરિયાદો અને પૂછપરછને ગંભીરતાથી લઈ તાત્કાલિક ઉકેલ લાવવા સૂચના આપી હતી.

ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ૧ એપ્રિલથી અત્યાર સુધી ૧૯૫૦ હેલ્પલાઇન નંબર પર કુલ ૬૯ ચૂંટણી કાર્ડ સંબંધિત પૂછપરછ નોંધાઈ છે. આ પૂછપરછમાં મુખ્યત્વે નવા મતદાર તરીકે નોંધણી, નામ સુધારણા, સરનામું બદલવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. આંકડા દર્શાવે છે કે મતદારોમાં જાગૃતિ વધી રહી છે અને તેઓ પોતાના મતાધિકાર અંગે વધુ સચેત બની રહ્યા છે.

તે ઉપરાંત ટોલ ફ્રી નંબર પર કુલ ૨ ફરિયાદો પ્રાપ્ત થઈ છે, જ્યારે Cvigil એપ્લિકેશન પર પણ ૨ ફરિયાદો નોંધાઈ છે. તમામ ફરિયાદોનું યોગ્ય રીતે નિરાકરણ કરવામાં આવી રહ્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. Cvigil જેવી એપ્લિકેશન દ્વારા મતદારો સીધા જ ચૂંટણી સંબંધિત ગેરરીતિઓ અંગે માહિતી આપી શકે છે, જે પારદર્શક ચૂંટણી માટે મહત્વપૂર્ણ સાધન બની રહી છે.

જનરલ ઓબ્ઝર્વર શ્રી મીણાએ અધિકારીઓને સૂચના આપી કે તમામ ફરિયાદોનો સમયસર નિકાલ થાય અને મતદારોને કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે. તેમણે જણાવ્યું કે સ્વચ્છ, નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી માટે લોકોનો વિશ્વાસ જાળવવો અગત્યનો છે.

આ રીતે જિલ્લા કક્ષાના ફરીયાદ નિવારણ કેન્દ્ર દ્વારા મતદારોને સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે અને ઉમરેઠ પેટા ચૂંટણી ૨૦૨૬ને સફળ બનાવવા માટે ચૂંટણી તંત્ર સતત પ્રયત્નશીલ છે.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *