
રંગોના પર્વ તરીકે ઉજવાતી Dhuleti નિમિત્તે Porbandar districtમાં લોક સંસ્કૃતિ અને લોક પ્રતિનિધિઓ વચ્ચેનો સુંદર સુમેળ જોવા મળ્યો હતો. વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી Arjunbhai Modhwadiaએ બોખીરા અને દેગામ ગામે ઉપસ્થિત રહી ગ્રામજનો સાથે હર્ષોલ્લાસપૂર્વક ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી.
મંત્રીશ્રી ખાસ કરીને Bokhira અને Degam ગામોમાં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જોડાયા હતા. અહીં ગામજનો સાથે રંગોત્સવની ઉજવણી ઉપરાંત પરંપરાગત દાંડિયા રાસ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંત્રીશ્રીએ પરિવારના સભ્ય સમાન સાદગીપૂર્વક લોકોની વચ્ચે રહી ઉત્સવની મજા માણી હતી.
દેગામ ગામે મહેર સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ ગ્રામજનો સાથે મુલાકાત કરી અને સૌને ધૂળેટી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આવા તહેવારો સમાજમાં એકતા, પ્રેમ અને ભાઈચારાને મજબૂત બનાવે છે. લોક સંસ્કૃતિને જીવંત રાખવા માટે ગામડાઓમાં ઉજવાતા આવા પરંપરાગત કાર્યક્રમો ખૂબ મહત્વપૂર્ણ છે.
બોખીરા ગામે આયોજિત દાંડિયા રાસ કાર્યક્રમમાં પણ મંત્રીશ્રીએ હાજરી આપી હતી અને ગ્રામજનો સાથે આનંદપૂર્વક સમય વિતાવ્યો હતો. લોકો સાથે સીધો સંવાદ સાધતા તેમણે ગ્રામ્ય સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રત્યેનો લગાવ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી Babu Bokhiriya, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી આવડા ઓડેદરા તેમજ અગ્રણી આગેવાનો સામતભાઈ ઓડેદરા, ભુરાભાઈ કેશવાલા, વિરમ સુડાવદરા, કેશુ બોખરીયા, અરજણ ભૂતિયા, રામદે બોખરીયા, ગીગન બોખરીયા, માલદે બોખરીયા, વિજય બાપોદરા, ગીગા બોખરીયા અને ભરત બોખરીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
ગ્રામજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ વચ્ચે ઉજવાયેલા આ કાર્યક્રમોમાં લોક સંસ્કૃતિની ઝલક સાથે ઉત્સવની ખુશી અને સામૂહિક એકતાનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું. પોરબંદર જિલ્લામાં ધૂળેટી પર્વની આ અનોખી ઉજવણી લોકજીવન અને પરંપરાઓને વધુ મજબૂત બનાવતી સાબિત થઈ હતી.





