સોનગઢ સ્વદેશી મેળામાં સાખી મંડળની કપડાની થેલીઓ આકર્ષણનું કેન્દ્ર: ‘વોકલ ફોર લોકલ’ સાથે પ્લાસ્ટિક મુક્ત ભારતનો સંકલ્પ


તાપી જિલ્લાના સોનગઢ રંગ ઉપવન ખાતે આયોજિત સ્વદેશી મેળા 2026માં સ્થાનિક ઉત્પાદનોની વચ્ચે મહાકાળી માતા સાખી મંડળ દ્વારા તૈયાર કરાયેલ કપડાની થેલીઓ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે. ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને સાકાર કરતી આ પહેલ પ્લાસ્ટિક મુક્ત ભારતના સંકલ્પને મજબૂતી આપે છે અને સાથે સાથે મહિલાઓના સશક્તિકરણને નવી દિશા આપે છે.

મહાકાળી માતા સાખી મંડળની અધ્યક્ષ મનીષાબેન બી. પટેલે મીડિયાથી વાતચીતમાં જણાવ્યું હતું કે કપડાની થેલી માત્ર પર્યાવરણમૈત્રીક વિકલ્પ નથી, પરંતુ મહિલાઓ માટે આવકનું મહત્વપૂર્ણ સાધન પણ છે. દરેક થેલીની ખરીદી સ્થાનિક બહેનોને રોજગાર અને આત્મનિર્ભરતા તરફ એક પગલું આગળ વધારે છે. અમારા જૂથ દ્વારા કપડાની થેલીઓ બનાવવાથી ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓને ઘરઆંગણે રોજગારી મળે છે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત બને છે.

તેમણે વધુમાં જણાવ્યું કે પર્યાવરણને નુકસાન પહોંચાડતી પ્લાસ્ટિક થેલીઓના વધતા ઉપયોગને રોકવો સમયની માંગ છે. ફરી વાપરી શકાય તેવી અને ટકાઉ કપડાની થેલીઓનો પ્રચાર-પ્રસાર કરીને અમે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. સોનગઢ નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળામાં નાગરિકોને મફત કપડાની થેલીઓનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે, જેથી ‘પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા’ની કલ્પના સાકાર બની શકે.

મેળામાં પ્રદર્શિત થતી કપડાની થેલીઓ ઉપયોગીતા અને ફેશન બંને દૃષ્ટિએ અનુકૂળ છે. મજબૂત અને રિ-યુઝેબલ મટીરિયલથી બનેલી આ થેલીઓ રોજિંદા જીવનમાં સરળતાથી ઉપયોગી બની શકે છે. આવા સ્વદેશી ઉત્પાદનો સ્થાનિક હસ્તકલા ક્ષેત્રને જીવંત રાખે છે અને ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને વધુ બળ આપે છે.

સોનગઢ સ્વદેશી મેળાના સ્ટોલ્સ સ્થાનિક માલ, પર્યાવરણ સંરક્ષણ અને મહિલા સશક્તિકરણનો સંદેશ આપે છે. કપડાની થેલી જેવી સરળ પરંતુ અસરકારક પહેલ લોકોના દૈનિક જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે અને સ્વાવલંબન સાથે પર્યાવરણ રક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *