આંગણવાડીમાં શિક્ષણની નવી શરૂઆત: ‘આધારશીલા’ અભ્યાસક્રમ અને ‘મારી વિકાસ યાત્રા’ પુસ્તકને રાજ્ય ECCE કાઉન્સિલમાં મંજૂરી


રાજ્યમાં પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણ (ECCE) ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું ભરતાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય ECCE કાઉન્સિલ બેઠકમાં ‘આધારશીલા’ અભ્યાસક્રમને મંજૂરી આપવામાં આવી છે. આ અભ્યાસક્રમ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (NEP 2020) અનુસાર તૈયાર કરવામાં આવ્યો છે અને તે રાજ્યની તમામ આંગણવાડીઓમાં જૂન 2026-27થી અમલમાં મૂકવામાં આવશે.

આ બેઠકમાં આંગણવાડી કાર્યકરો માટે દૈનિક સમયપત્રક (Daily Schedule), બાળકો માટે ‘એક્ટિવિટી બુક’ તેમજ કાર્યકરો માટે ‘એક્ટિવિટી બેંક’ને પણ મંજૂરી આપવામાં આવી છે. આ નવી વ્યવસ્થાથી આંગણવાડીમાં શિક્ષણ વધુ વ્યવસ્થિત, પ્રવૃત્તિઆધારિત અને બાળકકેન્દ્રિત બનશે.

‘આધારશીલા’ પ્રી-પ્રાઇમરી અભ્યાસક્રમ હેઠળ બાળકોના શારીરિક, માનસિક, બૌદ્ધિક, ભાવનાત્મક અને સામાજિક વિકાસ પર ખાસ ધ્યાન આપવામાં આવશે. રમત, વાર્તા, ગીત, સર્જનાત્મક પ્રવૃત્તિઓ અને અનુભવ આધારિત શિક્ષણ દ્વારા બાળકોમાં શીખવાની રુચિ વિકસાવવામાં આવશે.

આ સાથે બાળકોના વિકાસના માપદંડો આધારિત ‘મારી વિકાસ યાત્રા’ નામનું પુસ્તક પણ રજૂ કરવામાં આવ્યું છે. આ પુસ્તક દ્વારા દરેક બાળકના વિકાસનું વ્યક્તિગત મૂલ્યાંકન કરવામાં આવશે, જેથી બાળકની પ્રગતિ, ક્ષમતા અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોગ્ય માર્ગદર્શન મળી શકે.

મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે, “‘આધારશીલા’ અભ્યાસક્રમ બાળકોના સર્વાંગી વિકાસને નવી દિશા આપશે. જ્યારે ‘મારી વિકાસ યાત્રા’ પુસ્તક દ્વારા દરેક બાળકના વિકાસનું વૈજ્ઞાનિક અને વ્યવસ્થિત મૂલ્યાંકન શક્ય બનશે.”

તેમણે ઉમેર્યું કે આંગણવાડી કાર્યકરો માટે તૈયાર કરાયેલ દૈનિક સમયપત્રક અને એક્ટિવિટી બેંક કાર્યકરોને શિક્ષણ કાર્યમાં વધુ સક્ષમ બનાવશે અને રાજ્યમાં પ્રારંભિક શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો લાવશે.

રાજ્ય સરકારના આ પ્રયાસથી આંગણવાડી કેન્દ્રો માત્ર પોષણ પૂરતા સીમિત ન રહી, પરંતુ બાળકોના ભવિષ્યના મજબૂત પાયા તરીકે વિકસશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.


  • Related Posts

    આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડેની ભવ્ય ઉજવણી: સેવા, સમર્પણ અને માનવતાનું જીવંત પ્રતિક છે નર્સિંગ વ્યવસાય


    GMERS Medical College ખાતે ‘આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડે’ની ભવ્ય ઉજવણી રાજ્યના આરોગ્ય મંત્રી Praful Pansheriya ની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ કાર્યક્રમમાં નર્સિંગ વ્યવસાયની મહત્તા, સેવા ભાવના અને માનવતાના મૂલ્યોને ઉજાગર…


    જૂનાગઢ રોજગાર વિનિમય કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન: 46 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી


    Junagadh જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા યુવાનોને રોજગારની વધુ તકો ઉપલબ્ધ થાય અને નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુઓ વચ્ચે સેતુરૂપ બની શકાય તે હેતુથી ઔદ્યોગિક ભરતીમેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *