દાહોદ જિલ્લામાં 19મા રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી, કલેક્ટર યોગેશ નિર્ગુડેના અધ્યક્ષસ્થાને મતદાર જાગૃતિનો સંદેશ


તા. 23 જાન્યુઆરીના રોજ દાહોદ જિલ્લામાં 19મા રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી લોકશાહી મૂલ્યોને પ્રોત્સાહન આપતા ઉત્સાહભર્યા માહોલમાં યોજાઈ હતી. દાહોદ જિલ્લાના જેએન્ડઆર કોલેજ હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડેના અધ્યક્ષસ્થાને સંપન્ન થયો હતો. કાર્યક્રમમાં મતદાનના મહત્વ અંગે જનજાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

આ પ્રસંગે વરિષ્ઠ મતદારોનું શાલ ઓઢાવી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ મતદાર યાદી સુધારણા, નોંધણી અને ચૂંટણી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ડેપ્યુટી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી હેતલબેન વસૈયા, મામલતદાર શ્રી સમીર પટેલ, ડેપ્યુટી મામલતદાર, બૂથ લેવલ ઓફિસર્સ (BLO) સહિતના અધિકારીઓ અને કર્મચારીઓને કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે પ્રમાણપત્રો આપી સન્માનિત કર્યા હતા.

કાર્યક્રમ દરમિયાન નવા નોંધાયેલા મતદારોને EPIC (મતદાર ઓળખપત્ર) કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, મતદાર જાગૃતિ માટે ઉત્તમ નાટ્ય પ્રસ્તુતિ કરનાર કોલેજના વિદ્યાર્થીઓને પણ પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત સૌએ લોકશાહીના મહાપર્વમાં અવશ્ય મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભારતની લોકશાહી પરંપરા અને મૂલ્યોને મજબૂત બનાવવા ચૂંટણી પંચ, સુપ્રીમ કોર્ટ, જિલ્લા વહીવટીતંત્ર તેમજ ચૂંટણી સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ અને સંસ્થાઓની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. BLO, સુપરવાઇઝર, શિક્ષકો અને કર્મચારીઓના સહયોગથી જ ચૂંટણી પ્રક્રિયા સફળ અને પારદર્શક બને છે.

તેમણે જણાવ્યું કે, મતદાર યાદીની ચોકસાઈ, નવી નોંધણી તથા સુધારણા પ્રક્રિયામાં બૂથ લેવલ ઓફિસરની ભૂમિકા સૌથી મહત્વની હોય છે. આવનારી ચૂંટણીઓમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે સતત પ્રયાસો કરવાની જરૂર હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. ખાસ કરીને યુવા મતદારોને લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં ડેપ્યુટી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી હેતલબેન વસૈયા, પ્રાંત અધિકારી શ્રી મિલિંદ દવે, મામલતદાર શ્રી પ્રદીપસિંહ ગોહિલ, મામલતદાર શ્રી સમીર પટેલ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, યુવા મતદારો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *