રાજકોટમાં બનેલા મિનિ ટ્રેક્ટર ખેતરે-ખેતરે પહોંચ્યા – VGRCથી સૌરાષ્ટ્રના ઉદ્યોગ અને કૃષિને નવી દિશા


સૌરાષ્ટ્રના ઔદ્યોગિક કેન્દ્ર રાજકોટમાં ઉત્પાદિત થતાં મિનિ ટ્રેક્ટરો આજે ખેતરે-ખેતરે પહોંચીને ખેડૂતો માટે ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. ઉદ્યોગોના વિકાસની સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના વિકાસના પાયામાં કૃષિનું મહત્ત્વ અવિરત રહ્યું છે. કૃષિ અને ઉદ્યોગના સમન્વયથી પ્રદેશના સર્વાંગી વિકાસની દિશામાં રાજ્ય સરકાર દ્વારા લેવાયેલી મહત્વપૂર્ણ પહેલ VGRC (વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સેન્ટર) થકી સ્થાનિક કૌશલ્યને વૈશ્વિક મંચ મળવાની દિશામાં મજબૂત પ્રયાસ થઈ રહ્યો છે.

રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં બનેલા મિનિ ટ્રેક્ટરો નાના અને સીમિત જમીન ધરાવતા ખેડૂતો માટે અત્યંત ઉપયોગી સાબિત થયા છે. ઓછી કિંમત, ઇંધણ બચત અને સરળ ઉપયોગને કારણે આ મિનિ ટ્રેક્ટરો દેશભરના અનેક રાજ્યોમાં તેમજ વિદેશોમાં પણ પોતાની ઓળખ બનાવી રહ્યા છે. પરિણામે રાજકોટના ઔદ્યોગિક ઉત્પાદનને નવી બજારો મળી રહી છે અને સ્થાનિક રોજગારીમાં વધારો થઈ રહ્યો છે.

VGRCની પહેલથી સૌરાષ્ટ્રને વ્યાપક લાભ મળશે અને અહીંની ઔદ્યોગિક તાસીરથી દેશ-વિદેશના ઉદ્યોગકારો પરિચિત થશે. રાજકોટમાં ઉત્પાદિત થતાં સાઇકલથી લઈને એરક્રાફ્ટના ઘટકો સુધીના વિવિધ ઉત્પાદનો સૌરાષ્ટ્રની ઔદ્યોગિક શક્તિ અને નવીનતા દર્શાવે છે. આ તમામ ઉત્પાદનો સૌરાષ્ટ્રની શાન સમાન ગણાય છે.

કેપ્ટન ટ્રેક્ટર્સના ડાયરેક્ટર શ્રી સતિષભાઈ મોવલીયાએ જણાવ્યું હતું કે સરકારના આ પ્રયાસોથી સ્થાનિક ઉદ્યોગોને મોટો વેગ મળશે. તેમણે કહ્યું કે VGRC થકી સૌરાષ્ટ્રના અનન્ય કૌશલ્ય અને ઉત્પાદન ક્ષમતાને વૈશ્વિક ઓળખ મળશે, જેના કારણે નવા રોકાણ, ટેક્નોલોજી અને બજારોના દ્વાર ખુલશે. ખાસ કરીને કૃષિ આધારિત ઉદ્યોગોને આ પહેલથી લાંબા ગાળાનો લાભ થશે.

ઉદ્યોગ અને કૃષિ વચ્ચેનો આ મજબૂત સહકાર સૌરાષ્ટ્ર અને કચ્છના વિકાસ માટે આધારસ્તંભ સાબિત થઈ રહ્યો છે. રાજકોટમાં બનેલા મિનિ ટ્રેક્ટરોની સફળતા એ સ્થાનિક ઉદ્યોગોની ક્ષમતા અને ખેડૂતોની જરૂરિયાતો વચ્ચેના સુમેળનું ઉત્તમ ઉદાહરણ છે. રાજ્ય સરકારની નીતિગત સહાય અને VGRC જેવી પહેલો સાથે સૌરાષ્ટ્રનું ઉદ્યોગિક ભવિષ્ય વધુ ઉજ્જવળ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *