કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને બોટાદમાં દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ કેમ્પ, ૪૭૮ સહાયક સાધનોનું નિઃશુલ્ક વિતરણ


કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લામાં દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગજનોના જીવનને વધુ સરળ, સ્વાવલંબી અને ગૌરવપૂર્ણ બનાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ-બહેનો અને તેમના પરિવારજનો હાજર રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર દિવ્યાંગજનોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા સતત કાર્યરત છે. દિવ્યાંગજનોને સહાયક સાધનો મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે અને સમાજની મુખ્ય ધારા સાથે જોડાઈ શકે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં દિવ્યાંગજનો તરફ જોવાનો દૃષ્ટિકોણ બદલાયો છે. હવે દિવ્યાંગજનને દયા નહીં પરંતુ સન્માન અને સમાન અધિકારની ભાવનાથી જોવામાં આવી રહ્યા છે. સરકારની નીતિઓ અને યોજનાઓ દ્વારા દિવ્યાંગજનોને શિક્ષણ, રોજગાર અને સ્વરોજગારીની વધુ તકો ઉપલબ્ધ બની રહી છે.

આ સાધન સહાય વિતરણ કેમ્પ અંતર્ગત અંદાજે રૂ. ૩૫.૫૪ લાખની કિંમત ધરાવતાં કુલ ૪૭૮ સહાયક સાધનોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આમાં વ્હીલચેર, શ્રવણયંત્ર, લાકડીઓ, ટ્રાઈસાયકલ સહિતના વિવિધ ઉપયોગી સાધનોનો સમાવેશ થાય છે. આ સાધનો દ્વારા દિવ્યાંગજનોને રોજિંદા જીવનમાં સરળતા મળશે તેમજ તેમની કાર્યક્ષમતા અને આત્મવિશ્વાસમાં વધારો થશે.

કાર્યક્રમ દરમિયાન સ્થાનિક જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સરકારની આ પહેલને દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ ગણાવી હતી. બોટાદમાં યોજાયેલ આ સાધન સહાય વિતરણ કેમ્પ દિવ્યાંગજનોના કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે અને ભવિષ્યમાં પણ આવી યોજનાઓ દ્વારા વધુ લોકોને લાભ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *