દાહોદ જિલ્લા સેવા સદન ખાતે GPSC પરીક્ષા અંગે વિડિઓ કોન્ફરન્સ, ચેરમેન શ્રી હસમુખ પટેલના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ માર્ગદર્શન


દાહોદ જિલ્લા સેવા સદન, છાપરી ખાતે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની આવનારી પરીક્ષા સંદર્ભે GPSCના ચેરમેનશ્રી હસમુખ પટેલના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ વિડિઓ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દાહોદ જિલ્લામાં યોજાનારી GPSC પરીક્ષાની તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રી જે. એમ. રાવલ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એસ. એલ. દામા, શિક્ષણ નિરીક્ષક શ્રી રાકેશ ભોકણ, પ્રાંત અધિકારી શ્રી મિલિન્દ દવે સહિત સંબંધિત તમામ વિભાગોના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

બેઠક દરમિયાન દાહોદ તાલુકામાં યોજાનારી રાજ્ય વેરા નિરીક્ષકની પ્રાથમિક કસોટી તારીખ ૪ જાન્યુઆરી, ૨૦૨૬ના રવિવારના રોજ સવારે ૧૧ થી ૧ કલાક દરમિયાન યોજાશે તે બાબતે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પરીક્ષા દરમિયાન SOPનું સંપૂર્ણ પાલન થાય, પરીક્ષા નિયમનુસાર, પારદર્શક અને વિવેકપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓ અને ફરજ પર રહેનાર સ્ટાફને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

દાહોદ તાલુકાની કુલ ૧૦ શાળા-કોલેજોને પરીક્ષા કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવી છે, જેમાં કુલ ૯૪ બ્લોક રહેશે. આ પરીક્ષા માટે દાહોદ જિલ્લામાંથી તેમજ અન્ય વિસ્તારોમાંથી કુલ ૨૨૩૩ જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. તમામ પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા, પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ તેમજ ઇમરજન્સી પરિસ્થિતિ માટે આરોગ્ય ટીમની વ્યવસ્થા કરવામાં આવશે.

પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો અવિરત રહે તે માટે ખાસ વ્યવસ્થા કરાશે. પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી સરળતાથી પહોંચવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે પરિવહન અને માર્ગદર્શક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવશે. દિવ્યાંગ પરીક્ષાર્થીઓ માટે તેમની જરૂરિયાત અનુસાર વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવશે.

ઇન્વિજીલેટર, સુપરવાઈઝર, બ્લોક ફાળવણી, બેઠક વ્યવસ્થા, પ્રશ્નપત્રોની ગુપ્તતા તથા સીસીટીવી દ્વારા સતત સુપરવિઝન થાય તે માટે તમામ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી. નિવાસી અધિક કલેકટર શ્રી જે. એમ. રાવલે પરીક્ષાની ગંભીરતા ધ્યાને રાખી કોઈપણ પ્રક્રિયા દુષિત ન થાય તે માટે કડક દેખરેખ રાખવા તમામને સૂચન કર્યું હતું.


  • Related Posts

    આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડેની ભવ્ય ઉજવણી: સેવા, સમર્પણ અને માનવતાનું જીવંત પ્રતિક છે નર્સિંગ વ્યવસાય


    GMERS Medical College ખાતે ‘આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડે’ની ભવ્ય ઉજવણી રાજ્યના આરોગ્ય મંત્રી Praful Pansheriya ની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ કાર્યક્રમમાં નર્સિંગ વ્યવસાયની મહત્તા, સેવા ભાવના અને માનવતાના મૂલ્યોને ઉજાગર…


    જૂનાગઢ રોજગાર વિનિમય કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન: 46 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી


    Junagadh જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા યુવાનોને રોજગારની વધુ તકો ઉપલબ્ધ થાય અને નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુઓ વચ્ચે સેતુરૂપ બની શકાય તે હેતુથી ઔદ્યોગિક ભરતીમેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *