વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં અલંગ શિપ રિસાયક્લિંગ હબની વૈશ્વિક ગૌરવભેર રજૂઆત


વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) અંતર્ગત કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશના ઔદ્યોગિક અને સમુદ્રી બળને વૈશ્વિક મંચ પર પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના દરિયાકાંઠે સ્થિત અલંગ શિપ રિસાયક્લિંગ હબ આજે માત્ર ભારતનું નહીં પરંતુ સમગ્ર વિશ્વનું ગૌરવ બની ચૂક્યું છે. વૈશ્વિક શિપ રિસાયક્લિંગ ક્ષેત્રમાં આશરે 32 ટકા યોગદાન આપતું અલંગ યાર્ડ સુરક્ષિત, નિયમિત અને પર્યાવરણમૈત્રી રિસાયક્લિંગ માટે ઓળખાય છે.

અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડમાં અપનાવવામાં આવતી ગ્રીન ટેક્નોલોજી અને આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસારની પ્રક્રિયાઓ તેને વૈશ્વિક સ્તરે વિશિષ્ટ બનાવે છે. અત્યાર સુધી અલંગ ખાતે હજારો જહાજોનું સુરક્ષિત રીતે રિસાયક્લિંગ કરવામાં આવ્યું છે, જેમાં કામદારોની સુરક્ષા અને પર્યાવરણ સંરક્ષણને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ હબ ગુજરાતની મેરિટાઈમ શક્તિ અને ઔદ્યોગિક દૃઢતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ પણ આ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અહીં કામદારો માટે આધુનિક તાલીમ સુવિધાઓ ઉપલબ્ધ છે. સાથે સાથે, મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ, લેવલ-3 ટ્રોમા સેન્ટર, અદ્યતન વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે, જે કામદારોના આરોગ્ય અને સલામતી માટે મહત્વપૂર્ણ છે. આ સુવિધાઓ અલંગને સામાજિક જવાબદારી અને ટકાઉ વિકાસના મોડલ તરીકે રજૂ કરે છે.

રાજકોટ ખાતે 10 થી 12 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં અલંગને માત્ર એક રિસાયક્લિંગ યાર્ડ તરીકે નહીં, પરંતુ રાજ્યની મેરિટાઈમ શક્તિ, ગ્રીન ટેક્નોલોજી, સરળ અને અનુકૂળ વ્યવસાયિક વાતાવરણના ઉત્તમ ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવશે. આ કોન્ફરન્સ દ્વારા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને ગુજરાતના દરિયાઈ ઉદ્યોગમાં રહેલી વિશાળ તકો વિશે માહિતગાર કરવામાં આવશે.

VGRC મારફતે કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશને વૈશ્વિક નકશા પર વધુ મજબૂત સ્થાન મળશે, તેમજ ગુજરાતના ટકાઉ વિકાસ અને ઉદ્યોગ પ્રોત્સાહનના પ્રયાસોને નવી ગતિ મળશે.


  • Related Posts

    કચ્છ મુલાકાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી: ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને ગણાવી મનુષ્ય અને પ્રકૃતિ માટે આશીર્વાદ


    Acharya Devvrat કચ્છ જિલ્લાના પ્રવાસે પહોંચ્યા દરમિયાન પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતા અનેક કાર્યક્રમોમાં જોડાયા હતા. રાજ્યપાલશ્રીએ ભુજ તાલુકાના કોડકી અને નારાણપર (પસાયતી) ગામની મુલાકાત લઈને પ્રગતિશીલ ખેડૂતોના પ્રાકૃતિક ફાર્મનું નિરીક્ષણ…


    સોમનાથમાં ઇતિહાસ રચાશે: ૧૧ તીર્થોના જળથી મંદિરના શિખર પર પહેલીવાર કુંભાભિષેક


    પ્રથમ જ્યોતિર્લિંગ Somnath Temple ખાતે આયોજિત “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬” અંતર્ગત એક ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રસંગ સાકાર થવા જઈ રહ્યો છે. ૧૧મી મેના રોજ સોમનાથ મંદિરના શિખર પર પહેલીવાર ૧૧ પવિત્ર તીર્થોના…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *