નરદીપુરની ગૃહિણી કૃષ્ણાબેન વાઘેલા બન્યાં ‘લખપતિ દીદી’ – આત્મનિર્ભરતા અને મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત


નરદીપુરના ગામની ગૃહિણી કૃષ્ણાબેન વાઘેલા આજે ગુજરાતની હજારો મહિલાઓ માટે પ્રેરણાનું સ્રોત બની છે. સામાન્ય ગૃહિણી તરીકે જીવન શરૂ કરનાર કૃષ્ણાબેન આજે ‘લખપતિ દીદી’ બની ગૃહિણી હોવા છતાં ઉદ્યોગસાહસિક તરીકે 10 થી 12 અન્ય મહિલાઓને રોજગાર પૂરો પાડી રહી છે.

કૃષ્ણાબેન વાઘેલાની આ આત્મનિર્ભરતા સફર કાલોલ તાલુકાના નરદીપુર ગામમાંથી શરૂ થઈ હતી. તેમના પરિવારની આર્થિક સ્થિતિ સીમિત હતી, પરંતુ સપનાઓ મોટા હતા. તેમણે હંમેશા ઈચ્છ્યું હતું કે તેઓ પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બને. એ દરમ્યાન તેમને ગુજરાત સરકારની નેશનલ રૂરલ લાઇવલિહૂડ મિશન (NRLM) એટલે કે ‘મિશન મંગલમ’ યોજના વિશે માહિતી મળી.

કૃષ્ણાબેનએ પોતાના ગામની અન્ય મહિલાઓને એકત્ર કરી ‘જય અંબે સખી મંડળ’ બનાવ્યું. શરૂઆતમાં મંડળ નાની બચતથી કામ શરૂ કરતું હતું. ત્યારબાદ સરકાર તરફથી રીવોલ્વિંગ ફંડ અને બેંક લોન મળી. NRLM સાથે જોડાઈ કૃષ્ણાબેનને પાપડ, અથાણાં અને ઘરઉદ્યોગ ઉત્પાદનો બનાવવાની તાલીમ મળી. તાલીમમાં મફત માર્ગદર્શન, ઓછા વ્યાજે લોન અને મેળા-પ્રદર્શનો મારફતે વેચાણ પ્લેટફોર્મ વિશે માહિતી આપવામાં આવી.

આ તાલીમનો લાભ લઈને કૃષ્ણાબેન અને સખી મંડળની બહેનો પાપડ, અથાણાં અને અન્ય ઘરઉદ્યોગ ચીજવસ્તુઓનું પેકેજિંગ અને વેચાણ શરૂ કર્યું. તેમના પરિશ્રમનું પરિણામ મળે છે કે, આવક રૂ. 5 લાખ સુધી પહોંચી. તેઓને ભારત અને ગુજરાત સરકારના સહયોગથી શરૂ કરાયેલા ‘લખપતિ દીદી’ અભિયાન હેઠળ સન્માનિત કરવામાં આવ્યું.

કૃષ્ણાબેન કહે છે, “દરેક મહિલામાં શક્તિ છુપાયેલી છે. ઘરની બહાર આવો અને સરકારની યોજનાઓનો લાભ લો. આજે હું મારી દીકરીના ફી ભરુ છું અને પૈસાની તंगीમાં નથી.” તેમણે જણાવ્યું કે, “આમ અમે સરકારી મેળા અને પ્રદર્શનમાં ભાગ લઇને અમારા ઉત્પાદનોનું વેચાણ કરી એક આગવી ઓળખ બનાવી છે.”

કૃષ્ણાબેન વાઘેલાએ સાબિત કર્યું છે કે હિંમત, અડગ વિશ્વાસ અને સરકારના સહયોગથી ગૃહિણી પણ સફળ ઉદ્યોગસાહસિક બની શકે છે.


  • Related Posts

    વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ખેડા જિલ્લામાં ૧૦૦ દિવસનું ટીબી મુક્ત અભિયાન શરૂ, ૭૮ ગ્રામ પંચાયતો ટીબી મુક્ત જાહેર


    તા. ૨૪ માર્ચના World Tuberculosis Day નિમિત્તે Kheda district માં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ Nadiad સ્થિત જિલ્લા પંચાયત ખાતે યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર Amit Prakash Yadav ની ઉપસ્થિતિમાં ટીબી…


    ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી: ચકલી સંરક્ષણ માટે જાગૃતિ અભિયાન


    Dharampur સ્થિત Valsad District Science Centre ખાતે વિશ્વ ચકલી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રકૃતિપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ચકલી સંરક્ષણ અંગે…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *