ગાંધીનગર જિલ્લામાં SIR (ખાસ સઘન સુધારણા) કાર્યક્રમ અંગે જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘીના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષો સાથે બેઠક


ગાંધીનગર જિલ્લામાં જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘીના અધ્યક્ષસ્થાને SIR (Speical Intensive Revision – ખાસ સઘન સુધારણા) કામગીરી સંદર્ભે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો હેતુ મતદાર યાદીની સુધારણા પ્રક્રીયા અંગે પાર્ટીઓને માહિતી પ્રદાન કરવી અને પક્ષોની સૂચનોને સાંભળવી હતું.

ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર, ગુજરાતમાં મતદાર યાદી સુધારણા માટેની સઘન ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ રાજ્યભરના તમામ જિલ્લાઓમાં 27 ઓક્ટોબર, 2025 થી અમલમાં છે, જેમાં તમામ મતદારોના આધારભૂત ડેટા, સરનામા અને ઓળખની વિગતવાર ચકાસણી કરવામાં આવી રહી છે.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘીના હસ્તે તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને SIRના મુસદ્દા મતદાર યાદીની ડ્રાફ્ટ કોપી અર્પણ કરવામાં આવી હતી. આ ડ્રાફ્ટ કોપી દ્વારા રાજકીય પક્ષોને તેમના મતદાર ક્ષેત્રના હકીકતવાર માહિતી પર અભિપ્રાય આપવાની અને જરૂર મુજબ સુધારા સૂચવવાની તક આપવામાં આવી.

બેઠકમાં હાજર તમામ પાર્ટી પ્રતિનિધિઓએ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા થયેલી SIR કામગીરીને વખાણ્યું અને ગુજરાતના મતદાન વ્યવસ્થાના પારદર્શક અને કાર્યક્ષમ અભિગમની પ્રશંસા કરી. પાર્ટી પ્રતિનિધિઓએ જણાવ્યું કે SIRની કાર્યપદ્ધતિથી મતદાર યાદી વધુ નિર્ભર, વ્યાવસ્થિત અને વિશ્વસનીય બની છે, જે આગામી ચૂંટણી માટે મહત્વપૂર્ણ છે.

ડૉ. સૌરભ પારઘીએ જણાવ્યું કે SIR ઝુંબેશ માત્ર માહિતી સુધારણા માટે નથી, પરંતુ મતદાનની ગુણવત્તા, પારદર્શિતા અને ન્યાયસંગતતા સુનિશ્ચિત કરવા માટે પણ મહત્વપૂર્ણ છે. તેમણે પાર્ટી પ્રતિનિધિઓને યાદી તપાસ માટે માર્ગદર્શન અને સહકાર આપવા માટે આભાર વ્યક્ત કર્યો.

આ બેઠક ગુજરાત રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ અને વિશ્વસનીય બનાવવા માટેના પ્રયાસોમાં મહત્વપૂર્ણ પગલું તરીકે નોંધાઈ છે. SIR કામગીરી દ્વારા જિલ્લા અને રાજ્ય સ્તરે મતદાર યાદી વધુ મજબૂત, ચોકસાઈપૂર્ણ અને જનસહભાગીપ્રેરક બની છે, જે ભારતની લોકશાહી પ્રથાને મજબૂતી આપે છે.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *