સુરતના નવા ભટાર ખાતે નવનિર્મિત આદિવાસી સમાજ ભવનનું લોકાર્પણ, રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે આપી સમાજ એકતાની પ્રેરણા


સુરત શહેરના નવા ભટાર વિસ્તારમાં સમસ્ત આદિવાસી સમાજ–સુરત શહેર દ્વારા નવનિર્મિત આદિવાસી સમાજ ભવનને રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ ઉદ્યોગ વિભાગના રાજ્યમંત્રી માનનીય ડૉ. જયરામભાઈ ગામીતના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલોત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “આદિવાસી સમાજના સંગઠન અને એકતાથી જ સર્વાંગી વિકાસ શક્ય છે.” તેમણે ઉમેર્યું હતું કે આદિવાસી સમાજ ભવન માત્ર એક મકાન નથી, પરંતુ તે સમાજની એકતા, ઓળખ, સંસ્કૃતિ, પ્રકૃતિ અને નવા વિચારોનું કેન્દ્ર બનશે. આવું સમાજ ભવન આવનારી પેઢી માટે માર્ગદર્શક સાબિત થશે.

સુરતના પંચ્યાસી મહોલ્લો, નવા ભટાર, ઉધના–મગદલ્લા રોડ ખાતે નિર્મિત આ આદિવાસી સમાજ ભવનમાં વિદ્યાર્થીઓ, સારવાર માટે સુરત આવતા દર્દીઓ અને તેમના પરિવારજનો તેમજ અન્ય જરૂરિયાતમંદો માટે નિવાસની સુવિધા ઉપલબ્ધ રહેશે. સાથે સાથે પરીક્ષાઓ આપવા આવતા યુવાનોને પણ અહીં રહેવાની વ્યવસ્થા મળશે, જેનાથી તેઓને સુરક્ષિત અને અનુકૂળ માહોલ પ્રાપ્ત થશે.

ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આદિવાસી સમાજના શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને સંસ્કૃતિના સંરક્ષણ માટે સતત પ્રયત્નશીલ છે. પરંતુ માત્ર સરકારના પ્રયત્નો પૂરતા નથી; સમાજના દરેક વ્યક્તિએ સંગઠિત બનીને પોતાની સંસ્કૃતિ, પરંપરા અને ઓળખના જતન માટે આગળ આવવું જરૂરી છે. સમાજની એકતા જ વિકાસનું મુખ્ય આધારસ્તંભ છે.

આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, યુવકો, મહિલાઓ તથા વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ આદિવાસી સમાજ ભવનના નિર્માણને સમાજ માટે મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું અને ભવિષ્યમાં આ ભવન સમાજકલ્યાણ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને યુવા વિકાસ માટે કેન્દ્રરૂપ બનશે તેવી આશા વ્યક્ત કરી.

નવનિર્મિત આદિવાસી સમાજ ભવન સુરત શહેરમાં આદિવાસી સમાજની એકતા, સશક્તિકરણ અને સર્વાંગી વિકાસ માટે નવી દિશા આપતું કેન્દ્ર બની રહેશે.


  • Related Posts

    કચ્છ મુલાકાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી: ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને ગણાવી મનુષ્ય અને પ્રકૃતિ માટે આશીર્વાદ


    Acharya Devvrat કચ્છ જિલ્લાના પ્રવાસે પહોંચ્યા દરમિયાન પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતા અનેક કાર્યક્રમોમાં જોડાયા હતા. રાજ્યપાલશ્રીએ ભુજ તાલુકાના કોડકી અને નારાણપર (પસાયતી) ગામની મુલાકાત લઈને પ્રગતિશીલ ખેડૂતોના પ્રાકૃતિક ફાર્મનું નિરીક્ષણ…


    સોમનાથમાં ઇતિહાસ રચાશે: ૧૧ તીર્થોના જળથી મંદિરના શિખર પર પહેલીવાર કુંભાભિષેક


    પ્રથમ જ્યોતિર્લિંગ Somnath Temple ખાતે આયોજિત “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬” અંતર્ગત એક ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રસંગ સાકાર થવા જઈ રહ્યો છે. ૧૧મી મેના રોજ સોમનાથ મંદિરના શિખર પર પહેલીવાર ૧૧ પવિત્ર તીર્થોના…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *