સુરત માર્ગ સલામતી અભિયાન: નવી સિવિલ હોસ્પિટલના સ્ટાફને 1000 નિઃશુલ્ક હેલ્મેટ વિતરણ


સુરત શહેરમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને વાહનચાલકોમાં સલામતી અંગે જાગૃતિ લાવવા માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ માર્ગ સલામતી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત નવી સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોમાં કાર્યરત સ્ટાફને નિઃશુલ્ક હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ સુરત ટ્રાફિક પોલીસના માર્ગદર્શન હેઠળ અને Truhome Financeના કોર્પોરેટ સોશિયલ રેસ્પોન્સિબિલિટી (CSR) પહેલ અંતર્ગત યોજાયો હતો. સાથે સાથે Elixir Foundationના સહયોગથી આ અભિયાનને સફળ બનાવવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કુલ 1000થી વધુ હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

નવી સિવિલ હોસ્પિટલના સફાઈકર્મીઓ, એક્સ-રે ટેક્નિશિયન, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસના ક્લેરિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ તેમજ ડેટા ઓપરેટર સહિતના વિવિધ વિભાગોના કર્મચારીઓને આ હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય હેતુ હોસ્પિટલના સ્ટાફને માર્ગ સલામતી અંગે પ્રોત્સાહિત કરવાનો અને તેમના જીવનની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.

આ સમગ્ર અભિયાન સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું. સાથે જ સંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક) સજ્જનસિંહ પરમાર, નાયબ પોલીસ કમિશનર (સેક્ટર-01) ટ્રાફિક પન્ના મોમૈયા, નાયબ પોલીસ કમિશનર (સેક્ટર-02) ટ્રાફિક અનુપમ તેમજ ACP શાહિલ ટંડેલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ આ જ પ્રકારની પહેલ અંતર્ગત 1000 જેટલા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેને સારો પ્રતિસાદ મળ્યો હતો. આ વર્ષે પણ આ અભિયાનને આગળ વધારીને વધુ કર્મચારીઓને સુરક્ષા કવચ પૂરુ પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

સુરત ટ્રાફિક પોલીસ દ્વારા નાગરિકોને હંમેશા હેલ્મેટ પહેરવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. આ પ્રકારના અભિયાનોથી નાગરિકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ વધે છે અને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *