
Acharya Devvratએ Navsari શહેરમાં કાર્યરત પ્રાકૃતિક વેચાણ કેન્દ્રની મુલાકાત લઈ ગ્રામ્ય ખેડૂતોના અનોખા પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ પ્રાકૃતિક વેચાણ કેન્દ્ર Navsari District Panchayat અને Navsari Municipal Corporationના સંયુક્ત ઉપક્રમે Atal Bihari Vajpayee રોડ પર શરૂ કરવામાં આવ્યું છે.
નવસારી શહેરમાં દર અઠવાડિયે મંગળવાર અને ગુરુવારના રોજ યોજાતા આ પ્રાકૃતિક વેચાણ કેન્દ્રમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાની કૃષિ પેદાશોનું સીધું વેચાણ કરે છે. આ વ્યવસ્થાથી ખેડૂતોને તેમની ઉપજ માટે યોગ્ય બજાર મળે છે તેમજ શહેરના નાગરિકોને તાજી, સ્વાસ્થ્યવર્ધક અને રસાયણમુક્ત શાકભાજી તથા કૃષિ ઉત્પાદનો સરળતાથી ઉપલબ્ધ થાય છે.
આ વેચાણ કેન્દ્ર ગ્રામ્ય અને શહેરી વિસ્તારો વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરતી એક અસરકારક પહેલ તરીકે ઉભરી રહ્યું છે. ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સીધો વ્યવહાર થતાં ખેડૂતોને યોગ્ય ભાવ મળે છે અને ગ્રાહકોને ગુણવત્તાયુક્ત પ્રાકૃતિક ખોરાક પ્રાપ્ત થાય છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ પહેલની સરાહના કરતા જણાવ્યું કે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા તેમજ લોકોમાં સ્વસ્થ આહાર અંગે જાગૃતિ ફેલાવવા માટે આવી પહેલ ખૂબ મહત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ માનવ આરોગ્ય માટે પણ અત્યંત લાભદાયક છે.
મુલાકાત દરમિયાન રાજ્યપાલે વેચાણ કેન્દ્રમાં આવેલા વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. તેમણે ખેડૂતો પાસેથી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અને વેચાણ વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી. રાજ્યપાલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના વધુ વ્યાપક પ્રચાર માટે પ્રયત્નો કરવાની પણ સલાહ આપી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર Kshipra Agre અને જિલ્લા વિકાસ અધિકારી Pushpalataએ રાજ્યપાલને નવસારી જિલ્લામાં ચાલી રહેલી પ્રાકૃતિક ખેતી વિશે વિગતવાર માહિતી આપી હતી.
મુલાકાત દરમિયાન નવસારી મહાનગરપાલિકાના કમિશનર Dev Chaudhary, અગ્રણી ભુરાભાઈ શાહ તેમજ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.





