ધાનપુર તાલુકાની આંગણવાડી કાર્યકરો માટે જીલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરા ચૌહાણના માર્ગદર્શન હેઠળ જોબ તાલીમ


દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આંગણવાડી કાર્યકર બહેનો માટે ખાસ જોબ તાલીમનું આયોજન યોજાયું, જે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઇરા ચૌહાણના માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયત કચેરી ખાતે આવેલા સંકલિત બાળ વિકાસ કચેરીના હોલમાં યોજાયું હતું. આ તાલીમ મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ ચલાવવામાં આવતા Integrated Child Development Services (ICDS) યોજના અંતર્ગત આપવામાં આવી હતી.

આ તાલીમનો મુખ્ય હેતુ આંગણવાડી કાર્યકરોની કાર્યક્ષમતા વધારવી, કેન્દ્રોની સેવાઓની ગુણવત્તામાં સુધારો લાવવો અને ગર્ભવતી તથા ધાત્રી માતાઓ તેમજ ૦ થી ૬ વર્ષના બાળકો સુધી તમામ લાભ અસરકારક રીતે પહોંચાડવાનું છે. તાલીમમાં ભાગ લેતી બહેનોને પ્રેક્ટિકલ અને થિયરી બંને રીતે જાણકારી આપવામાં આવી, જેથી તેઓ તેમના કેન્દ્રોમાં યોગ્ય રીતે સેવા આપી શકે.

તાલીમ દરમિયાન બાળ પોષણ અને આરોગ્ય સંબંધિત જાગૃતિ, પ્રી-સ્કૂલ શિક્ષણની અસરકારક પદ્ધતિઓ, વૃદ્ધિ માપન અને રેકોર્ડ જાળવણી, માતા-બાળ આરોગ્ય અને રસીકરણ અંગેની માહિતી, સમુદાય સાથે સંવાદ અને સંકલન તેમજ કૌશલ્ય વૃદ્ધિ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. આ તાલીમ દ્વારા કાર્યકરોને તેમની ડ્યૂટી વધુ અસરકારક રીતે નિભાવવા અને બાળકોના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવા તૈયાર કરવામાં આવ્યા.

જીલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઇરાબેન ચૌહાણે જણાવ્યું હતું કે આ પ્રકારની તાલીમથી આંગણવાડી કેન્દ્રોની સેવાઓમાં ગુણવત્તામાં સુધારો થશે. કાર્યકરોના સક્ષમ બનવાથી ગામડાં અને શહેરી વિસ્તારોમાં બાળકોના વિકાસ માટે વધુ સારી કામગીરી થઈ શકશે. તેમણે ઉમેર્યું કે આ તાલીમ માત્ર કાર્યકરો માટે નહીં, પરંતુ સમગ્ર સમુદાય માટે ફાયદાકારક રહેશે કારણકે તે માતા-બાળ આરોગ્ય, શિક્ષણ અને પોષણમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવશે.

આંગણવાડી કાર્યકરોને આપવામાં આવેલી તાલીમ બાળકોના ભવિષ્યને મજબૂત બનાવવા, કુશળ અને સતર્ક કાર્યકરો તૈયાર કરવા અને ICDS યોજનાને વધુ અસરકારક બનાવવામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *