મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાઅંતર્ગત દાહોદમાં જિલ્લા સ્તરની બેઠક યોજાઈ


દાહોદ જિલ્લામાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાના અસરકારક અમલ અને પ્રગતિની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્તરના સભ્યોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન જિલ્લામાં આવેલી ગૌશાળાઓમાં રહેલા પશુઓના પોષણ માટે આપવામાં આવતી સહાય, ચુકવણી પ્રક્રિયા તથા આવનારા સમયગાળાની યોજના અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં જણાવ્યા મુજબ, મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા જિલ્લામાં આવેલી ગૌશાળાઓમાં રહેલા કુલ 12,246 પશુઓ માટે રૂ. 3,04,50ની સહાય RTGS મારફતે તમામ સંસ્થાઓના બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે. આ રકમ ગૌશાળાઓમાં પશુઓના ચારા-પાણી અને પોષણ માટે ઉપયોગમાં લેવાશે.

આ ઉપરાંત, જુલાઈથી સપ્ટેમ્બર-2028ના સમયગાળા માટે ગૌશાળાઓમાં રહેલા પશુઓના પોષણ માટે કુલ રૂ. 1,6,50ની સહાય મંજૂર કરવામાં આવી હોવાનું પણ બેઠકમાં જણાવાયું હતું. આ સહાય અંતર્ગત દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલી ગૌશાળાઓ અને ટ્રસ્ટોને રકમ ફાળવવામાં આવી છે. જેમાં દાહોદ અનાજ મહાજન ગૌશાળા, શ્રી સૂરભી સેવા ટ્રસ્ટ દાહોદ, શ્રી કામધેનુ ગૌસેવા ટ્રસ્ટ દેવગઢ બારીયા, શ્રી સત્યનામ ગોવર્ધન ગૌશાળા ટ્રસ્ટ સાલિયા, શ્રી ગોકુલેશ ગૌશાળા ટ્રસ્ટ દેવગઢ બારીયા, શ્રી બાલ ગોપાલ ગૌશાળા ટ્રસ્ટ ઝાલોદ, શ્રી યતિન્દ્ર જયંત જૈન પબ્લિક ગૌશાળા ઝાલોદ, માલધારી ઉત્થાન ટ્રસ્ટ ઝાલોદ, આદર્શ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ફતેપુરા તેમજ બ્રહ્મલીન બાપુ નરસિંહ સેવાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ લીમખેડા સહિતની સંસ્થાઓનો સમાવેશ થાય છે.

બેઠક દરમિયાન અધિકારીઓએ યોજનાના અમલમાં પારદર્શિતા જળવાઈ રહે, ગૌશાળાઓમાં પશુઓની યોગ્ય સંભાળ લેવાય અને સરકારની સહાયનો યોગ્ય ઉપયોગ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે ગૌશાળાઓની સમસ્યાઓ અને સૂચનો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા, પશુપાલન વિભાગના ઉપનિર્દેશક ડૉ. કમલેશ ગોસાઈ, ઉપ વન સંરક્ષક શ્રી દાહોદ, ચીફ ઓફિસર શ્રી દેવગઢ બારીયા, ચીફ ઓફિસર શ્રી દાહોદ તેમજ ગૌરક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દ્વારા મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાને વધુ અસરકારક બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.


  • Related Posts

    વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ખેડા જિલ્લામાં ૧૦૦ દિવસનું ટીબી મુક્ત અભિયાન શરૂ, ૭૮ ગ્રામ પંચાયતો ટીબી મુક્ત જાહેર


    તા. ૨૪ માર્ચના World Tuberculosis Day નિમિત્તે Kheda district માં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ Nadiad સ્થિત જિલ્લા પંચાયત ખાતે યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર Amit Prakash Yadav ની ઉપસ્થિતિમાં ટીબી…


    ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી: ચકલી સંરક્ષણ માટે જાગૃતિ અભિયાન


    Dharampur સ્થિત Valsad District Science Centre ખાતે વિશ્વ ચકલી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રકૃતિપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ચકલી સંરક્ષણ અંગે…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *