
કિશોરીઓના આરોગ્ય, શિક્ષણ અને સર્વાંગી સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે બાવળા સ્થિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે કિશોરી મેળાનો સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કિશોરીઓને તેમના આરોગ્ય, પોષણ, સ્વચ્છતા તેમજ સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી કલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃત કરવાનો હતો. કાર્યક્રમનું આયોજન ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત કરવામાં આવ્યું હતું.
કિશોરી મેળા દરમિયાન વિદ્યાર્થીઓ માટે આરોગ્ય ચકાસણી કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા કિશોરીઓનું વજન, ઊંચાઈ, હિમોગ્લોબિન સ્તર, બ્લડ પ્રેશર સહિતની તપાસ કરવામાં આવી હતી. સાથે સાથે, કિશોરી અવસ્થામાં થતી શારીરિક અને માનસિક બદલાવ અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આરોગ્ય નિષ્ણાતોએ સ્વસ્થ જીવનશૈલી, સંતુલિત આહાર અને નિયમિત કસરતના મહત્વ વિશે પણ સમજાવ્યું હતું.
મેળામાં કિશોરીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જેમાં કિશોરી વિકાસ યોજના, પોષણ અભિયાન, શિષ્યવૃત્તિ યોજનાઓ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી અન્ય યોજનાઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન હેઠળ શિક્ષણનું મહત્વ, બાળ વિવાહ નિવારણ અને મહિલા સશક્તિકરણ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાના શિક્ષકો અને સંચાલકો દ્વારા કિશોરીઓને આત્મવિશ્વાસ વધારવા, પોતાની ક્ષમતાઓ ઓળખવા અને ભવિષ્ય માટે સ્પષ્ટ લક્ષ્યો નક્કી કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. વિવિધ માર્ગદર્શન સત્રો, પ્રશ્નોત્તરી અને ચર્ચાઓ દ્વારા વિદ્યાર્થીઓને ખુલ્લેઆમ પોતાની સમસ્યાઓ રજૂ કરવાની તક પણ આપવામાં આવી.
કિશોરી મેળાના સફળ આયોજનથી વિદ્યાર્થીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધવાની સાથે સાથે સરકારની યોજનાઓ અંગે યોગ્ય માહિતી પહોંચાડી શકાઈ છે. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં યોજાયેલ આ કિશોરી મેળો કિશોરીઓના સશક્તિકરણ તરફનું મહત્વપૂર્ણ પગલું સાબિત થયો છે અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો આયોજન કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.





