
સોમનાથ સ્વાભિમાન પર્વની તૈયારીઓ ઉમંગ, ઉત્સાહ અને શ્રદ્ધાભેર ચાલી રહી છે. આ પાવન તહેવાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનારી ભવ્ય શૌર્ય યાત્રા અને શૌર્ય સભા માટે વિશેષ મહત્વ ધરાવે છે. સોમનાથમાં ભક્તોનું આવકારવા માર્ગો સુશોભન અને રંગોળી, દીપમાલા અને ફુલોના શણગારથી નજારો માણવા લાયક બની ગયા છે.
ત્રણ દિવસીય સ્વાભિમાન પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ શહેર એક વિશેષ આધ્યાત્મિક મહોલમાં ડૂબી ગયું છે. આ નજારો દેશભરના હજારો શિવ ભક્તોને 1000 વર્ષથી પ્રજલવીત થતી અતૂટ, મજબૂત અને વિરાટ આધ્યાત્મિક ચેતનાની યાદ અપાવે છે. પર્વ દરમિયાન યોજાનારી શૌર્ય યાત્રા, અખંડ પૂજા, સમૂહ આરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમો ભક્તો માટે એક અનોખો આનંદ અને આધ્યાત્મિક અનુભવ આપશે.
સોમનાથ સ્વાભિમાન પર્વ માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ આ પર્વ સોમનાથના એક હજાર વર્ષના સંઘર્ષ, બલિદાન અને પુનઃનિર્માણની ગાથાને નવી પેઢી સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે. પર્વમાં જોડાવા માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ ટ્રેનો અને બસ સેવાની વ્યવસ્થા કરી છે, જેથી ભક્તો સરળ અને સુરક્ષિત રીતે પવિત્ર સ્થળ સુધી પહોંચી શકે.
સોમનાથ મંદિરના આસપાસ સ્વચ્છતા, સુરક્ષા, પાર્કિંગ અને આરોગ્ય સુવિધાઓ માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ભક્તો માટે નાસ્તા, પાણી અને આરામની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.
સોમનાથ સ્વાભિમાન પર્વ દ્વારા લોકોમાં સ્વાભિમાન, શૌર્ય અને આસ્થાની ભાવના વધે છે અને આ તહેવાર દેશભરમાં શિવભક્તિના ઊર્જાસ્થાન તરીકે ઓળખાય છે. પર્વ દરમિયાન ભક્તો, સ્થાનિક લોકો અને પ્રવાસીઓ માટે તે એક અનોખો સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મંચ બની જાય છે.
આ રીતે, સોમનાથ સ્વાભિમાન પર્વ-2026 દેશની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહરની ઉજવણી તરીકે યાદગાર બનશે.





