
સૌરાષ્ટ્રની પાવન ધરતી પર આયોજિત ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’એ ભક્તિ, દેશપ્રેમ અને ગુજરાતની લોકસંસ્કૃતિનો અદ્ભુત સંગમ રજૂ કર્યો. સોમનાથ મહાદેવના સાન્નિધ્યમાં યોજાયેલા આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભક્તિમય સંગીતના તાલ સાથે શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા હતા. સમગ્ર વાતાવરણ શિવભક્તિ અને રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું હતું.
કાર્યક્રમમાં પ્રખ્યાત ગાયક કીર્તિ-કરશન સાગઠિયા અને હાર્દિક દવેની સૂરીલી રમઝટે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા. તેમની ભક્તિરસથી ભરપૂર રજૂઆતે શિવસ્તુતિ, દેશપ્રેમ અને આધ્યાત્મિક ચેતનાને નવી ઉર્જા આપી. સંગીતના તાલ અને શબ્દોની શક્તિએ ઉપસ્થિત ભક્તોના હૃદયને સ્પર્શી લીધા હતા, જેમાં ભક્તિ સાથે સ્વાભિમાનની ભાવના પણ સ્પષ્ટપણે અનુભવી શકાયી.
લોકસાહિત્યના પ્રખર ગાયક રાજભા ગઢવીની રજૂઆતએ કાર્યક્રમને વિશેષ ઊંચાઈ આપી. તેમની લોકવાણીમાં શિવભક્તિ, માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ અને ગુજરાતની શૂરવીર પરંપરાનો ગૌરવ ઝળહળી ઉઠ્યો. લોકસાહિત્યના સૂરોએ શ્રોતાઓમાં રાષ્ટ્રપ્રેમ અને સાંસ્કૃતિક ચેતનાનો નવો સંચાર કર્યો.
‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ દરમિયાન આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા ગુજરાતની લોકસંસ્કૃતિ, આધ્યાત્મિક પરંપરા અને સાંસ્કૃતિક વારસાનું સુંદર પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું. પરંપરાગત સંગીત, લોકગીતો અને ભાવસભર રજૂઆતો દ્વારા નવી પેઢીને પોતાની સંસ્કૃતિ સાથે જોડવાનો પ્રયાસ પણ સ્પષ્ટ જોવા મળ્યો.
આ કાર્યક્રમ માત્ર મનોરંજન પૂરતો સીમિત ન રહી, પરંતુ સમાજમાં સંસ્કૃતિ, શ્રદ્ધા અને સ્વાભિમાનની ભાવનાને મજબૂત બનાવવાનો સંદેશ પણ આપ્યો. સોમનાથની પવિત્ર ભૂમિ પર યોજાયેલ ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’એ ગુજરાતની સંસ્કૃતિક ઓળખને વધુ મજબૂત કરી અને ભક્તો માટે એક સ્મરણિય અનુભવ બની રહ્યો.





