સુરત જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ: અકસ્માતો ઘટાડવા અને માર્ગ સલામતી મજબૂત કરવા કલેક્ટર ડો. સૌરભ પારધીની સૂચનાઓ


સુરત જિલ્લામાં માર્ગ સલામતી વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા તથા માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા માટે સુરત જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં માર્ગ સલામતીને લગતા વિવિધ મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન કલેક્ટર ડો. સૌરભ પારધીએ જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતોના કારણે થતી માનવમૃત્યુની ઘટનાઓ ગંભીર ચિંતા જનક છે અને તેમાં ઘટાડો લાવવા માટે તમામ સંબંધિત વિભાગોએ સંકલિત રીતે કામ કરવું જરૂરી છે. તેમણે માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા નિવારાત્મક પગલાં, અસરકારક રોડ મિકેનિઝમ અને નિયમિત મોનિટરિંગ પર ખાસ ભાર મૂક્યો હતો.

કલેક્ટરશ્રીએ જિલ્લામાં આવેલા રસ્તાઓ અને પુલોની માળખાકીય ક્ષમતાની સમીક્ષા કરવાની સૂચના આપતા જણાવ્યું હતું કે, કેટલાક રસ્તા અને પુલો હેવી વેહીકલ્સ માટે રચાયેલ નથી, છતાં આવા ભારે વાહનોનો ઉપયોગ થતો જોવા મળે છે, જે અકસ્માતોનું મુખ્ય કારણ બની શકે છે. તેથી આવા માર્ગો પર હેવી વાહનોના પ્રવેશને નિયંત્રિત કરવા જરૂરી પગલાં લેવામાં આવે અને સ્પષ્ટ સૂચક બોર્ડ, સંકેતચિહ્નો તથા ચેતવણી વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી.

આ ઉપરાંત, તેમણે બ્લેક સ્પોટ તરીકે ઓળખાયેલા અકસ્માતપ્રવણ વિસ્તારોમાં તાત્કાલિક સુધારાત્મક કામગીરી કરવા, સ્પીડ બ્રેકર, રોડ માર્કિંગ, સ્ટ્રીટ લાઈટિંગ અને ટ્રાફિક સિગ્નલ્સની યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. વાહન ચાલકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા માટે જનજાગૃતિ અભિયાન, શાળા-કોલેજ સ્તરે માર્ગ સલામતી શિક્ષણ અને કડક અમલવારી પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

બેઠકમાં પોલીસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આરટીઓ, નગરપાલિકા સહિતના સંબંધિત વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. તમામ વિભાગોને પરસ્પર સંકલન સાથે કાર્ય કરી સુરત જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા સ્પષ્ટ કાર્યયોજનાઓ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી.

અંતમાં કલેક્ટર ડો. સૌરભ પારધીએ જણાવ્યું હતું કે, માનવજીવન અમૂલ્ય છે અને માર્ગ સલામતી દરેક નાગરિકની સંયુક્ત જવાબદારી છે. સરકાર અને વહીવટીતંત્ર દ્વારા લેવાતા પગલાં સાથે નાગરિકો પણ ટ્રાફિક નિયમોનું પાલન કરશે તો સુરત જિલ્લો વધુ સુરક્ષિત અને અકસ્માતમુક્ત બની શકશે.


  • Related Posts

    એકતાનગર વિકાસ અને રાષ્ટ્રીય એકતાનું પ્રતિક: ઓડિશાની ઉપમુખ્યમંત્રી પ્રવતિ પરીદાનો ઉલ્લેખ


    ગુજરાતના પ્રખ્યાત પર્યટન કેન્દ્ર Ekta Nagar અંગે ઓડિશાની ઉપમુખ્યમંત્રી Pravati Paridaએ પ્રશંસાપૂર્વક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે એકતાનગર માત્ર પર્યટન સ્થળ જ નથી, પરંતુ વિકાસ, નવીનતા અને રાષ્ટ્રીય એકતાનું…


    માધવપુર મેળો 2026 માટે તંત્ર સજ્જ: પોરબંદરમાં પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ


    આગામી Madhavpur Fair 2026ને સુચારુ અને સફળ બનાવવા માટે પોરબંદર કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક નિવાસી અધિક જિલ્લા કલેક્ટર Rekhabaa Sarvaiyaના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી,…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *